Abtak Media Google News

ભાજપના રાષ્ટ્રીય ચૂંટણી પ્રભારી રાધામોહનસિંહે સેલવાસમાં ભાજપના નેતાઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક કરી વિવિધ મુદ્દા પર ચર્ચા કરી. સાથે જ વાપીમાં ટ્રેનના સ્ટોપેજ અંગે પણ માહિતી અપાઈ.

મળતી વિગતો અનુસાર ભારતીય જનતા પાર્ટીના રાધામોહનસિંહ, રાષ્ટ્રીય ચૂંટણી પ્રભારીએ સેલવાસ પહોંચી અટલ ભવનમાં એક મીટીંગ યોજી. આ મીટીંગમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ હસમુખ ભંડારીની સાથે અન્ય વરિષ્ઠ નેતા ફતેસિંહ ચૌહાણ, વિરેન્દ્ર પુરોહિત, સીતારામ ગવલી, વિવેક ધાડકર સહિત અન્ય નેતા તથા પદાધિકારીઓ તેમજ ઉત્તર ભારત સમાજના વરિષ્ઠ લોકો ઉપસ્થિત રહ્યાં. મીટીંગ દરમિયાન વિવિધ મુદ્દા પર વિચાર-વિમર્શ કરાયા. આ અવસર પર દાદરાનગર હવેલીના મિશન મોદીના પ્રભારી અનીલ દિક્ષીત, આર.બી.સિંહ અને ઉત્તર ભારતના અન્ય ગણમાન્ય લોકોને રાધામોહનસિંહે વાપીમાં ટ્રેન રોકવા માટે જાણકારી આપી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.