Abtak Media Google News

જામનગરમાં આજ રોજ સવારે 9.30 કલાકે હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલા જન સમર્થન સંમેલનમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી તથા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તથા પુર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુ સહીતના ઉપસ્થિત રહ્યાં હતાં.

Vlcsnap 7481 10 12 07H37M09S211આ સંમેલનમાં પુર્વ ધારાસભ્ય અને હાપા યાર્ડના ચેરમેન રાઘવજી તેમના સમર્થકો સાથે મુખ્યમંત્રીના હસ્તે કેશરીયો ધારણ કર્યો હતો. જામનગર તા.પં.ના 9 સભ્યો ભાજપમાં જોડાયા છે જ્યારે ધ્રોલ તા.પંચાયતના 6 સભ્યો પણ ભાજપમાં જોડાયા. આ ઉપરાંત જોડીયા તાલુકા પંચાયતના 4 સભ્યો તથા ધ્રોલ માર્કેટ યાર્ડના 11 ડીરેક્ટર પણ ભાજપમાં જોડાયા છે. આ સમયે જનસમર્થન સંમેલનમાં કૃષિ અને ઉર્જા મંત્રી ચીમનભાઈ સાપરીયા, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજ.મ્યુ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સાંસદ પુનમબેન માડમ, મેયર પ્રતિભાબેન કનખરા તેમજ ધારાસભ્યો, જીલ્લા અને શહેર ભાજપ પ્રમુખો સહિતના આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમને ધ્યાને લઈ પોલીસ તંત્રએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.