આઇઆઇએમ (અમદાવાદ)માં વર્ષ ૨૦૨૦-૨૦૨૨માટે પીજીપી કોર્ષમાં ડો. માનવ મહેતાને એડમીશન ક્ધફર્મ થયું છે. આ વર્ષે ૨ લાખ ૪૪ વિદ્યાર્થીઓએ કેટ એકઝામ આપી હતી. લોકડાઉન પૂર્વ આઇઆઇએમમાં એડમીશન પ્રક્રિયાનો બીજો રાઉન્ડ પૂર્ણ કરેલ હતો અને તેમાં દેશભરમાંથી ૪૩૦ વિદ્યાર્થીઓનાં એડમીશન ક્ધફર્મ કરાયા છે. જેમાં એક વિદ્યાર્થી, ડો. માનવ મહેતા છે. તેઓ એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ કરી હાલ ગોમતીપુર અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્ય કરે છે. જામવણથલીના સ્વ. ચંદુલાલ છગનલાલ મહેતાના પૌત્ર અને શૈલેષભાઇ મહેતાના પુત્ર ડો. માનવ મહેતાએ આઇઆઇએમ (અમદાવાદ)માં પ્રવેશ મેળવી જામનગર અને જામવણથલી જૈન સમાજનું ગૌરવ વધાયું છે.
Trending
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ
- સાવધાન ! સાયબર ગઠિયાઓ નાણા પડાવવા દિલ્હી પોલીસના નામે બનાવટી નોટિસો મોકલે છે