Abtak Media Google News

માધાપર ચોકડીથી કેકેવી સર્કલ સુધી રોડ શો યોજાશે

આગામી સોમવારે રાજસ્થાનથી આવતા રાજપુત અગ્રણીઓનું રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે તેમજ રોડ શો અને રેલી પણ યોજવામાં આવશે.

હિન્દુ  રાજપૂત નેતા સુખદેવ સિંહ ગોગામેડીજી ક્ષાત્રત્વ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અઘ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીજી રાષ્ટ્રીય મહાસચિવ સુરજપાલ અમુ તેમજ રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ યોગેન્દ્રસિંહ કટાર, કોડીનાર ખાતે ક્ષત્રીય કારડીયા રાજપુત જ્ઞાતિના ઝાલા પરિવારના કુળદેવી  કનકેશ્વરી માતાજીના મંદીરના જીણોઘ્ધાર નિમીતે યોજાનાર સ્વાભિમાન રેલી અને મહાસંમેલન તથા લોકડાયરામાં જ્ઞાતિબંધુઓ ના ઉમદા આગ્રહને લક્ષમાં રાખીને પધારી રહ્યા છે

ત્યારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના રાજકોટ સંગઠન ના હોદેદારો અને સભ્યો દ્વારા નિ:સ્વાર્થ ભાવે સેવા કરનાર અને કર્તત્વ પારાયણના ગુણો ધરાવનારાઆ તમામ અતિથિઓ અઘ્યક્ષ રાષ્ટ્રીય મહાસચિવ અને રાષ્ટ્રીય ઉ૫ાઘ્યક્ષ આંગણે પધારી રહ્યા હોય તેઓના આગમનને વધાવવા માટે અદકેરુ આયોજન કરેલ છે. જેમાં તા.ર૧ ના રોજ સવારે ૯ કલાકે રાજકોટમાં માધાપર ચોકડીથી કે.કે.વી. સર્કલ સુધી રોડ શો તેમજ રેલી દ્વારા મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવશે. તેમજ રાજકોટથી કોડીનાર વચ્ચે આવતા તમામ ગામના સમસ્ત ક્ષત્રીય રાજપુત સમાજ દ્વારા તમા ગામના રાષ્ટ્રીય કરણી સેનાના હોદેદારો તેમજ સભ્યો દ્વારા તેમના આગમન ને વધાવવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.