Abtak Media Google News

પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરતાં પરિવારમાં ગમગીની

અબતક રાજકોટ

Advertisement

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર અવધ ટાવર પાસે રહેતા ડેન્ટિસ્ટની પત્નીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો, કેન્સરની બીમારીથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસમાં નોંધાયું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ફોચ્ર્યુન હોટેલ પાછળ અવધ ટાવર નજીક રહેતા રોશનીબેન પ્રકાશભાઇ પિત્રોડા (ઉ.વ.35)એ રવિવારે બપોરે પોતાના ઘરે ચૂંદડીથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

પરિવારજનોને જાણ થતાં રોશનીબેનને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આપઘાતની ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઇ જીલરિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રોશનીબેનના લગ્ન આઠ વર્ષ પહેલાં ડેન્ટિસ્ટ પ્રકાશ પિત્રોડા સાથે થયા હતા અન તેને સંતાનમાં એક પુત્રી છે, રોશનીબેનને આઠેક મહિનાથી કેન્સરની બીમારી લાગુ પડી હતી અને તેની સારવાર પણ ચાલુ હતી. પરંતુ બીમારીની પીડાથી કંટાળી તેમણે અંતિમ પગલું ભરી લીધું હતું. રોશનીબેનના આપઘાતથી તેની માસૂમ પુત્રીએ માતાની હૂંફ ગુમાવતા પિત્રોડા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.