Abtak Media Google News

શહેરમાં આપઘાતનાં બે બનાવો પ્રકાશમાં આવ્યા છે. જેમાં કોઠારીયા ચોકડી નજીક હોટેલના સફાઈ કર્મીએ  ગળે બ્લેડનો છરકો મારી જ્યારે  કિસ્મતનગર સરકારી બેંક શેરી નજીક રહેતી સગીરાને આપઘાત કરી લેતા બંનેના પરિવારમાં  અરેરાટી મચી જવા પામી છે

કિસ્મત હનગરમાં સગીરાએ ફાંસો ખાઈ જીવન ટૂંંકાવ્યું

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મૂળ નેપાળના અને  કોઠારિયા ચોકડી અને ગોંડલ ચોકડી વચ્ચે આવેલી તપસી હોટેલમાં સફાઈ કામ કરતો ધનરાજ મોહન સોની નામનો પચીસ વર્ષીય  યુવકે  ગળે બ્લેડનો છરકો મારી આપઘાત કરી લીધો છે. પત્ની અને એક પુત્ર નેપાળ રહે છે.અને ગઈ કાલ રાતના દસ વાગ્યે તેના મિત્રો જમવા માટેનું કહેવા ગયા તે વેળાએ ગળાના ભાગે બ્લેડ મારેલી હાલતમાં જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.પોલીસે મૃતદેહનો કબજો લઈ સીસીટીવી ફૂટેજ નાં આધારે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં કિસ્મત નગરમાં રહેતી સગીરા ખુશીબેન રાજુભાઈ પરસેડાએ  ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં સગીરાના પિતા મજૂરી કામ કરે છે અને બે ભાઇમાં એક બહેન હતી.મૃતક ખુશીબેન એ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.