Abtak Media Google News

શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલ સદગુરુ પાર્કમાં રહેતા યુવાનને તેની પત્નીએ જમવાનું મોડું બનાવી આપીશ તેવું કહેતા તેને ફિનાઈલ ગટગટાવી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે .

Advertisement

બનાવની મળતી માહિતી મુજબ સદગુરુ પાર્કમાં રહેતા વિઠ્ઠલભાઈ કેશુભાઈ પરમાર નામના યુવાને બે દિવસ પહેલા મહીકાના પાટીયા પાસે ફીનાઇલ ગટગટાવી લેતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનો આજે ટૂંકી દરમિયાન મોત નીપજ્યું હતું બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, યુવકે તેની ઘરવાળીને જમવાનું બનાવવા માટે કહ્યું હતું પરંતુ ત્યારે તેની પત્નીએ તેને જમવાનું મોડું બનશે તેવું કહેતા યુવકને માઠું લાગી આવતા તેને ફાઇનલ ગટગટાવી આપઘાત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.