Abtak Media Google News

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષો દ્વારા ચૂંટણીની ઉત્સાહભેર તૈયારી કરવામાં આવી રહી છે. રાજકોટમાં વોર્ડ નં 9ની વાત કરીએ તો કોંગ્રેસે શ્રીમતી ચંદ્રિકાબેન ગીરીશભાઈ ઘરસંડીયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

ચંદ્રિકાબેને ફકત 12 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે પરંતુ તેમનો અનુભવ તેમને વધુ કામ આવે છે .તેઓ છેલ્લા પાંચ વર્ષથી વોર્ડ નં 9માં રહેવાશ કરે છે. તમામ જ્ઞાતિઓમાં તેમણે સેવાભાવી સજજન તરીકેની લોકપ્રિયતા પામી છે. ચંદ્રિકાબેન મૂળ રાજકોટના જ રેહવાસી છે. ચંદ્રિકાબેન પૂરજોશ સાથે આ ચૂંટણીમાં જીતવા ઇચ્છે છે.તેઓએ લોકોને વોર્ડ નં 9માં ઉતમ આરોગ્ય કેન્દ્ર આપવાનો વચન આપેલો છે. શું ચંદ્રિકાબેનનો આ જુસ્સો તેમને ચૂંટણી જીતવામાં મદદ કરશે!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.