Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે ઉમેદવારોને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે વોર્ડ નંબર 2માં ટીકીટ કપાતા કોંગ્રેસના આગેવાન કાળઝાળ થયા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

વિગતો મુજબ કોંગ્રેસના મહિલા આગેવાન મનિષાબા વાળાની ટિકિટ કાપવામાં આવતા હોબાળો થયો હતો. મનિષાબાના બદલે દિવ્યાબા હરપાલસિંહ જાડેજાને ટિકિટ આપવમાં આવી હતી. મનિષાબા વાળાને કોંગ્રેસ પક્ષ દ્વારા ફોર્મ ભરવા કહેવામાં આવ્યુ હતુ તેવું જાણવા મળે છે. અલબત્ત ટીકીટ કપાઈ હોવાથી વોર્ડ નં.2ના અગ્રણી કાળઝાળ થઈ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.