Abtak Media Google News

ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆત

વૈશ્વિક મહામારી કોરોનાના દિન પ્રતિદિન ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા વધીરહી છે. તાજેતરમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન અંદાજીત 200 થી વધુપ્રાથમિક શિક્ષકો તેમજ 500 જેટલા સરકારી કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ મૃત્યુ પામ્યા છે. ત્યારે આ કર્મચારીઓનાં પરિવારજનોને સહાયરૂપ બનવા ગુજરાત રાજય નગરપ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સમક્ષ લેત રજૂઆત કરાઈ છે. ગુજરાત રાજય નગરપ્રાથમિક શિક્ષક સંઘની મુખ્ય માંગણીઓ આપ્રમાણે છે.

કોરોના સંક્રમિત થઈ મૃત્યુ પામનાર પ્રાથમિક શિક્ષકના પરિવારજનો પૈકી એક સભ્યને રહેમરાહે નોકરી આપવામા આવે. કર્મચારીના પરિવારને ગુજરાન થઈ શકે તે માટે નવી પેન્શન સ્ક્રીમના કર્મચારીને પણ જૂની પેન્શન યોજનાના લાભો આપવા. પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ વિનામૂલ્યે મળે તે પ્રકારની જોગવાઈ કરવામાં આવે. મેડિકલ અને એન્જિનીયરીંગમાં પ્રવેશ માટે કેન્દ્ર સરકારે આપેલ અગ્રતાનો લાભ ગુજરાત સરકાર પણ આપે. આશ્રિતોના પરિવારજનોને મા અમૃતમ કાર્ડ, આયુષ્યમાન ભારત યોજનાનોલાભ આપે કે કાયમી લાભ મળે તેવી વિમા પોલીસી આપવામાં આવે.ચાલુ ફરજ દરમ્યના સંક્રમિત મૃત્યુ પામનાર શિક્ષકોના વારસદારને રૂ.25 લાખની સહાય સમયમર્યાદામાં મળે તે કાર્યવાહી ઝડપી કરવાની પણ માંગ કરવામાં આવી છે. તાજેતરમાં બિહાર સરકારની કેબીનેટ મીટીંગમાં આ પ્રકારના નિર્ણયો લેવાયા છે. ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકાર પણ આપ્રકારનાં નિર્ણય લે તેવી રજૂઆત ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘે પત્રથી સરકાર સમક્ષ માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.