Abtak Media Google News

યાત્રાની બસ ઉજ્જૈન નજીક બંધ પડતા રિપેરીગ માટે મિકેનિકને લઇ જતી વેળાએ શહેર ભાજપના પૂર્વ મંત્રી કાળનો કોળિયો બન્યા

શહેરના વૈશાલીનગરમાં રહેતા અને રૈયા રોડ પર કનૈયા ટ્રાવેલ્સની ઓફીસ ધરાવતા ભાજપ અગ્રણી ગંગદાસભાઇ જોગરાણાની કારને ઉજજૈન પાસે નડેલા ગમખ્વાર અકસ્માતમાં કમકમાટી ભર્યુ મોત નીજપતા પરિવારમાં શોક છવાયો છે.  બનાવોમાં વધુ એક અકસ્માત બનાવ સામે આવ્યો છે.જેમાં ઉજ્જૈન પાસે રાજકોટના ટ્રાવેલ્સ સંચાલક અને પૂર્વ શહેર ભાજપના મંત્રી ગંગદાસભાઈ જોગરાણાનું કાર અકસ્માતમાં મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતાં જ તેના પરિવારજનો દોડી ગયા હતા.

Advertisement

બનાવની વિગતો મુજબ રાજકોટ શહેરના રૈયા રોડ ઉપર આવેલ વૈશાલીનગરમાં રહેતા અને રૈયા રોડ ઉપર જ કનૈયા ટ્રાવેલ્સ નામે ઓફીસ ધરાવતા પૂર્વ શહેર ભાજપના મંત્રી ગંગદાસભાઈ જોગરાણાની યાત્રાની બસ ઉજ્જૈન તરફ ગઈ હોય ત્યાં બસમાં કોઈ ખામી સર્જાતા તાત્કાલિક રીપેરીંગની જરૂર પડતા મિકેનિકને લઇને કાર મારફ્તે તે ઉજ્જૈન જવા રવાના થયા હતા દરમ્યાન કારને અકસ્માત નડતા ગંભીર રીતે ઘવાયેલા ગંગદાસભાઈનું મોત નીપજ્યું હતું. શહેર ભાજપ પૂર્વ મંત્રીના મૃત્યુથી પરિવાર અને સમાજમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસમાં જાણવા મળ્યું હતું કે,તેમને સંતાનમાં બે પુત્રો છે. હાલ તેના મૃતદેહ પરિવારજનો દ્વારા ઉજ્જૈનથી રાજકોટ લાવવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.