Abtak Media Google News

હોટલ પર ચા-પાણી પીવા ઊભા રહેતા અન્ય બસની ઠોકરે ભાણવડના વૃદ્ધને કાળ ભેટ્યો

કુવાડવા પાસે આવેલી આશીર્વાદ હોટલના પ્રાંગણમાં જાત્રા પૂર્ણ કરી પરત ફરી રહેલા વૃદ્ધનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. ભાણવડના વૃદ્ધ પરિવાર સાથે જાત્રા પરથી પરત ફરતા હતા ત્યારે કુવાડવા નજીક હોલ્ટ પર હતવત્યારે અન્ય બસના ચાલકે વૃદ્ધને ચગદી નાખ્યાં હતાં.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાણવડમાં રહેતા ભગવાનજીભાઈ નારણભાઈ મઘુડીયા નામના 70 વર્ષીય વૃદ્ધનું કુવાડવા પાસે આવેલી આશીર્વાદ હોટલના પ્રાંગણમાં ખાનગી બસ નીચે ચગદાઈ જતાં તેમનું કરુણ મોત નિપજ્યું હતું. મોભીનુ અકસ્માતમાં મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ ઘટના અંગે જાણ થતાં એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ભગવાનજીભાઈ મઘુડીયા પરિવાર સાથે બસ બાંધીને હરિદ્વાર જાત્રા પર ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ જાત્રાની બસ કુવાડવા પાસે આવેલી આશીર્વાદ હોટલ ખાતે ઊભી રહી હતી.

જ્યાં વૃદ્ધ નીચે હતા ત્યારે ત્યાં ઊભેલી અન્ય ખાનગી બસ જીજે-03-બીવી-3700 નંબરની ખાનગી બસના ચાલકે બસ રિવર્સ લેતી વેળાએ વૃદ્ધને ચગદી નાખ્યાં હતાં.મૃતક હાલ નિવૃત જીવન જીવતા હતા અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનુ જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.