Abtak Media Google News

આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજશ્રીબેન ડોડીયાએ અધિકારીઓ સાથે મિટિંગ યોજી

ચોમાસાની સિઝનમાં શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે રોગચાળાને નાથવા માટે આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજશ્રીબેન ડોડીયાએ આરોગ્ય અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ મિટિંગ યોજી હતી. દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આવતીકાલથી સ્લમ વિસ્તારોમાં આરોગ્ય કેમ્પ યોજવામાં આવશે.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજશ્રીબેન ડોડીયાએ જણાવ્યું હતું કે આજે લક્ષ્મીનગર હોર્ક્સ ઝોન, ભીમરાવનગર સ્લમ વિસ્તારમાં આરોગ્ય કેમ્પ યોજાયો હતો. આવતીકાલે 23મીના રોજ દૂધસાગર રોડ પર એચ.કે.સ્ટીલ સામે શાળા નં.78 અને પેડક રોડ પર અટલ બિહારી વાજપાઇ ઓડિટોરિયમની સામે હોર્ક્સ ઝોન, 25મીએ નારાયણનગર પાછળ ઢેબર કોલોની સ્લમ વિસ્તાર અને છોટુનગર સ્લમ વિસ્તારની આંગણવાડી ખાતે કેમ્પ યોજાશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.