Abtak Media Google News

ડરાવી ધમકાવી સંબધ રાખવા દબાણ કરતા નરાધમ વિરૂદ્ધ નોંધાતો ગુનો

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ દુષ્કર્મ અને છેડતીના અનેક બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે વધુ એક દુષ્કર્મનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.જેમાં વેલનાથ પરામાં રહેતા નરાધમે તેને ત્યાં ઘર કામ કરવા આવતી સગીરાને ડરાવી ધમકાવી સબંધ રાખવા દબાણ કરી તેના પર દુષ્કર્મ ગુજારીયા હોવાની ફરિયાદ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે નરાધમ વિરૂદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

વિગતો મુજબ વેલનાથ પરા સોસાયટીમાં રહેતો ધવલ ગિરીશ ગોહિલ નામના શખ્સને ત્યાં એક ૧૪ વર્ષની સગીરા ઘર કામ માટે આવતી તે સગીરાને આ નરાધમ ધવલે ડરાવી ધમકાવી અને પોતાની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારીયો હતો. અને જો આ વાતની કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે આ સમગ્ર વાતની જાણ સગીરાની માતાને થતા તેને ધવલ ગિરીશ ગોહિલ વિરોધ આજીડેમ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તેના વિરૂદ્ધ પોકસો હેઠલ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.