Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મોરબી રોડ પર સ્થિત જનતા કેળા ભંડારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ ધંધાર્થી દ્વારા ફૂડ લાયસન્સ વગર ધંધો કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળતા તેને નોટિસ આપવામાં આવી છે.

જનતા કેળા ભંડારમાં ઇથીલીન ગેસથી કેળા પકવવામાં આવતા હતા. જો કે તે એફ.એસ.એસ.એ.આઈ.ની માન્યતા ધરાવે છે. આ સ્થળે 1 હજાર કિલો કેળાનો જથ્થો હતો. આ તમામ જથ્થામાંથી પાંચ સેમ્પલ લઈને તેને એનાલિસિસ માટે મોકલવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.