Abtak Media Google News

પખવાડિયામાં 2855 વાહનો છૂટ્યા: વાહનવેરા પેટે કોર્પોરેશનને 1.35 કરોડની આવક

મંદી અને મોંઘવારીને વિસરી રાજકોટવાસીઓએ નવરાત્રીથી  શરદ પૂનમ સુધીના એક પખવાડીયામાં 61.31 કરોડના વાહનોની ખરીદી કરી છે.શહેરમાં શોરૂમમાંથી 2855 નવા વાહનો કુલ છૂટ્યા છે. વાહનવેરા પેટે કોર્પોરેશનને 1.35 કરોડ રૂપિયાની આવક થવા પામી છે.ગત 26 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોબર સુધીના એક પખવાડિયાના સમયગાળામાં શહેરમાં 2285 ,ટુ વ્હીલર 123 થ્રી વ્હીલર, 249 ફોર વ્હીલર સહિત કુલ રૂપિયા 61.31 કરોડના 2855 વાહનો વેચાયા છે.જેના કારણે ઓપરેશનની વેરાવસુલા શાખાને વેરા પેટે 1.35 કરોડની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.