Abtak Media Google News

શ્રેષ્ઠ સમાજની પરિકલ્પનાને સાર્થક કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બેટી બચાવો-બેટી પઢાવોની સંકલ્પનાને લઈને આગળ ધપી રહી છે. જે અન્વયે દીકરીનું જીવન સુખ-સમૃધ્ધિથી સભર રહે તે માટે ભારત સરકારે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલી બનાવી છે. આગામી તા. 9 અને 10 ફેબ્રૂઆરી 2023 દરમિયાન સમગ્ર ભારતભરમાં “સુકન્યા સમૃધ્ધિ” ખાતા ખોલવા માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવશે.

Advertisement

જિલ્લામાં એપ્રિલથી ડિસેમ્બર 2022 સુધીમાં અંદાજીત 18 હજાર જેટલા ખાતા ખોલાયા

રાજકોટ ડિવિઝન પોસ્ટ ઓફિસમાં દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આ યોજના અંતર્ગત એપ્રિલ-2022 થી ડિસેમ્બર-2022 સુધીમાં અંદાજિત 18 હજાર જેટલા ખાતા ખોલવામાં આવ્યા છે અને રાજકોટ જિલ્લામાં આશરે 48 હજારથી વધુ દીકરીઓએ સુકન્યા સમૃધ્ધિ યોજનાનો લાભ લઈ રહી છે. જે દીકરીઓના ખાતા નોંધાયેલા તેઓને દીકરીઓને 7.6 ટકાના દરે ચક્રવૃધ્ધિ વ્યાજ ચુકવવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લખનીયછે કે, 2015થી શરૂ થયેલી સુકન્યા સમૃધ્ધિ યોજનાનો લાભ મેળવવા માટે 0 થી 10 વર્ષની વચ્ચે દીકરીનું કોઈપણ પોસ્ટ ઓફિસ કે અધિકૃત કરેલી બેંકમાં ખાતું ખોલાવવું આવશ્યક છે.

જેમાં ખાતું ખોલાવ્યાથી 15 વર્ષ સુધી પૈસા ભરી શકાય છે. અને ખાતું ખોલાવ્યા બાદ 21 વર્ષે આ ખાતું પરિપક્વ થાય છે. આ ખાતામાં દર વર્ષે ઓછામાં ઓછી 250 થી વધુમાં વધુ 1 લાખ 50 હજારની રકમ જમા કરાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે રકમ જમા કરાવવી આવશ્યક છે. જમા રકમ ઉપર 80-સી હેઠળ ટેક્સની છુટ પણ મળે છે. તેમજ ઉચ્ચ અભ્યાસ માટે જમા થયેલી રકમના 50% નાણાં ઉપાડી શકાય છે, અને લગ્ન માટે દીકરીની ઉંમર 18 વર્ષ થાય ત્યારે ખાતું વહેલું બંધ કરાવી જમા રકમ ઉપાડી શકાય છે.

અન્યથા ખાતાની મુદ્દત ખોલાવ્યા ત્યારથી 21 વર્ષની હોય છે. દીકરી એક વર્ષની થાય અને ત્યારથી પ્રતિમાસ 1000 રૂ. જમા કરાવે તો ખાતું 21 વર્ષની પરિપક્વતાએ 5,10,373/- રૂ મેળવી શકે છે અને પ્રતિમાસ 5000 રૂ. જમા કરાવે તો ખાતું 21 વર્ષની પરિપક્વતાએ 25,51,855/- રૂ મેળવી શકે છે.

નવા નિયમ મુજબ એક કુંટુંબની બે દીકરીઓનું જ ખાતું ખોલવવાની જોગવાઈ છે. આ યોજનાનો લાભ નજીકની પોસ્ટ ઓફિસ અને સરકાર દ્વારા અધિકૃત કરેલી બેંકમાં દીકરીના જન્મનું પ્રમાણપત્ર અને રહેણાંકના પુરાવા રજુ કરીને ફોર્મ ભરીને મેળવી શકાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.