Abtak Media Google News

અબતક,રાજકોટ

Advertisement

રાજકોટની મધ્યસ જેલમાં બળાત્કાર અને હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા બે આરોપીઓએ જેલના બાથરૂમમાં ગળાફાંસો ખાઇ લીધાનું પોલીસમાં નોંધાયું છે. બળાત્કારના ગુનાની સજા કાપતા ભાવનગરના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે બોટાદ પંથકમાં થયેલી હત્યાના ગુનામાં સજા થતા આરોપીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. બે આરોપીઓએ જેલમાં કયાં કારણોસર આપઘાત અને આત્મહત્યાનો પ્રયાસ કર્યા તે અંગે પ્ર.નગર પોલીસે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની હાજરીમાં મૃતદેહનું વીડિયો રેકોર્ડીંગ કરાવી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. બળાત્કારના ગુનામાં સંડોવાયેલા મૃતકની લાશ તેના પરિવારને સોપવામાં આવી છે.

બળાત્કારના ગુનાના સજા ભોગવતા ભાવનગર પંથકના શખ્સનું સારવાર દરમિયાન મોત

ભાવનગર પંથકમાં નોંધાયેલા બળાત્કારના ગુનાની સુનાવણી પુરી થતા અદાલતે દસ વર્ષની સજા ફટકારતા વજુ સફા મેર નામના 30 વર્ષના યવાનને દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે. વજુ મેરને ગત તા.3 ઓગસ્ટના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. 28 દિવસ પૂર્વે જ સજા ભોગવવા રાજકોટ જેલમાં ખસેડાયેલા વજુ મેરે ગત તા.27 ઓગસ્ટના રોજ જેલના બાથરૂમમાં લંઘાના નાળીની મદદથી ગળાફાંસો ખાઇ લેતા સારવાર

માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્ર.નગર પોલીસે એસડીએમની હાજરીમાં ઇમ્કેશ પંચનામું કરી મૃતદેહનો વીડિયો શુટીંગ કરાવ્યું હતું. પોલીસે મૃતકના પરિવારને લાશનો કબ્જો સોપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.