Abtak Media Google News

જેતપુર: જેતલસર ગામની તરૂણીની ઘાતકી રીતે હત્યા કરનાર અને તેણીને બચાવવા વચ્ચે પડેલા કિશોર વયના તેના ભાઈને મારી નાખવાના પ્રયાસમાં પકડાયેલા ધરાર પ્રેમી યુવાનને તાલુકા પોલીસે બાર દિવસ રિમાન્ડના માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં. રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીની ગુનાહિત માનસની કુંડળી કાઢશે. જેતલસર ગામે એકતરફી પ્રેમમાં પાગલ જયેશ સરવૈયા નામના યુવાને સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણી નામની તરુણીને પામવાના પ્રયાસમાં તેણીના માતાપિતા ખેતમજૂરીએ ગયા હતાં. બપોરના સમયે ઘરમાં ઘુસી લગ્ન માટે દબાણ કર્યું હતું.

Advertisement

પરંતુ તરુણીએ જયેશની વાત ન માનતા જયેશ પડખામાંથી છરી કાઢી 28 જેટલાં ઘા મારીને તેણીની હત્યા નિપજાવી નાખી તેમજ તેણીને બચાવવા વચ્ચે પડેલા તેણીના કિશોર વયના ભાઈ હર્ષને પણ પાંચથી છ છરીના ઘા મારી જાનથી મારી નાખવાની કોશીષ કરી હતી.

પોલીસ પૂછપરછમાં જયેશે વટાણાં વેરી નાંખ્યા

​​​​​​​જયેશે કબુલાત આપી હતી કે સૃષ્ટિને પતાવી દેવા તેણે રૂ.130ની કિંમતની છરી વીરપુરમાંથી ખરીદી હતી. તેણે નક્કી કર્યું હતું કે જો સૃષ્ટિ લગ્નની ના પાડે એટલે તેને પતાવી જ દેવી. તેવી માનસિકતા ધરાવતો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.