Abtak Media Google News

ફાયર બ્રિગેડનાં તરવૈયાઓની ટીમે કેનાલ ખુંદી નાખી તેમ છતા પરિણીતાનો મૃતદેહ ન મળ્યો

ધ્રાગધ્રા તાલુકાના કંકાવટી ગામની પરિણીતાએ ગઈ કાલે હળવદના રણમલપુર નજીક પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. જેની જાણ થતા મામલતદાર, હળવદ પોલીસ સહિતનાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તરવૈયાઓની મદદથી લાશની શોધખોળ આદરાઈ હતી પરંતુ ફાયર બ્રિગેડના તરવૈયાઓના ટીમનો પનો પણ લાશ શોધવામાં ટુકો પડયો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

હળવદ તાલુકાના રણમલપુર ગામની હેતલબેન કોળી ધ્રાંગધ્રાંના કંકાવટી ગામે સાસરીયે હોય ત્યારે ગઈકાલે કોઈ અગમણ્ય કારણોસર ઘરેથી નીકળી જઈ હળવદના રણમલપુર નજીક પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. બનાવની જાણ આજુબાજુના લોકોને થતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ આદરાઈ હતી પરંતુ લાશનો કોઈ પતો ન મળતા બનાવની જાણ હળવદ પોલીસ અને મામલતદારને કરાઈ હતી તો સાથે જ મોરબીથી ફાયર બ્રિગડેની ટીમને પણ બોલાવાઈ હતી પરંતુ ૨૪ કલાક વીતવા છતાં પણ લાશનો કોઈ પતો નહીં મળતા પરિવારજનો ચિંતામાં મુકયા છે. જયારે બીજી તરફ તરવૈયાઓની ટીમ પણ લાશનો પતો મેળવવામાં અસફળ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.