Abtak Media Google News

અનેક ઉદ્યોગોએ ઓર્ડર આપી દીધા હોય, નિયંત્રણની અમલવારી તુરંત ન કરવાની માંગ ઉઠાવી હતી, જેને પગલે સરકારે નવો નિર્ણય કર્યો જાહેર

લેપટોપ અને ટેબલેટની આયાત પર નિયંત્રણ મૂકવાનો સરકારનો નિર્ણય હવે 1 નવેમ્બરથી અમલમાં આવશે.  વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે રાત્રે જારી કરેલા નોટિફિકેશનમાં નિયંત્રણ લાગુ કરવાની સમયમર્યાદા લંબાવી હતી.  આ નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પહેલાથી જ આયાત કરાયેલા તમામ સામાનને 31 ઓક્ટોબર સુધી લાયસન્સ વિના આયાત કરી શકાશે.  1 નવેમ્બરથી આ સામાનની આયાત માટે લાયસન્સ ફરજિયાત બનશે.  લેપટોપ, ટેબલેટ, પર્સનલ કોમ્પ્યુટર, અલ્ટ્રા-સ્મોલ કોમ્પ્યુટર અને સર્વર આ સૂચનાના દાયરામાં આવશે.

Advertisement

આઇટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે શુક્રવારે જણાવ્યું હતું કે, ટેબલેટ અને લેપટોપની આયાત સંબંધિત નવા ધોરણો માટે થોડો સમયગાળો મળશે. આ અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.  મંત્રીના નિવેદનના થોડા કલાકો બાદ મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડ્યું.  ખરેખર આઈટી ઈન્ડસ્ટ્રીએ સરકાર પાસે 3-6 મહિનાનો સમય માંગ્યો હતો.  તેના આધારે સરકારે ઉદ્યોગોને લગભગ 3 મહિનાનો સમય આપ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા આ નિયંત્રણોની જાહેરાત પછી, વિશ્વની ત્રણ મોટી કંપનીઓ એપલ, સેમસંગ અને એચપીએ ભારતમાં તેમના લેપટોપ અને ટેબલેટની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.  ચંદ્રશેખરે કહ્યું કે, સરકારનો ઉદ્દેશ્ય વિશ્વસનીય હાર્ડવેર અને સિસ્ટમને સુનિશ્ચિત કરવાનો છે.  આપણે આયાત પરની નિર્ભરતા ઘટાડવી પડશે.  નવો નિયમ એ સુનિશ્ચિત કરશે કે અમારી ટેક ઇકો-સિસ્ટમ ફક્ત તે જ આયાતી સિસ્ટમોનો ઉપયોગ કરે છે જે વિશ્વસનીય અને વેરિફાઇડ સિસ્ટમ છે.

સરકાર દ્વારા સુરક્ષા હેઠળ લેવાયેલા પગલાં

લેપટોપ, ટેબ્લેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત માટે લાયસન્સ ફરજિયાત કરવાના સરકારના પગલાનો હેતુ આ વિદેશી ઉપકરણોને આઇટી હાર્ડવેરમાં સુરક્ષા નબળાઈઓથી સુરક્ષિત રાખવાનો છે.  ખતરનાક માલવેર જેવા આઇટી હાર્ડવેરમાં હાર્ડવેર બેકડોર અને નબળાઈઓ સાથે લેપટોપ અને ટેબ્લેટનો ઉપયોગ વપરાશકર્તાઓની સંવેદનશીલ વ્યક્તિગત અને વ્યવસાયિક માહિતીને જોખમમાં મૂકી શકે છે. લેપટોપ, ટેબ્લેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત માટે લાઇસન્સિંગની જરૂરિયાત દાખલ કરવાના ભારતના નિર્ણયથી સ્થાનિક ઉત્પાદનને વેગ મળશે, એમ ચંદ્રશેખરે જણાવ્યું હતું.  દેશમાં વર્તમાન નિયમો કંપનીઓને મુક્તપણે લેપટોપની આયાત કરવાની છૂટ આપે છે, પરંતુ નવા નિયમમાં આ ઉત્પાદનો માટે વિશેષ લાયસન્સની જરૂર પડશે.  આયાત નિયંત્રણમાં ભારતની ચીન સાથેની વેપાર ખાધને દૂર કરવામાં અને ઉત્પાદનને વેગ આપવામાં મદદ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.