Abtak Media Google News

સરહદ પર સૈનિકો માટે મોરચા સુધી વસ્તુઓ પહોંચાડવા માટે ખચ્ચર અને હમાલીના ઉપયોગના બદલે ટેકનોલોજીનો કરાશે આવિષ્કાર

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તા બનવા જઈ રહી છે ત્યારે ત્રીજા નંબરનું સૌથી મોટું સૈન્ય પણ આધુનિક સુવિધાથી સજ થવા જઈ રહ્યું છે, સૈનિકો.  વિષમપરિસ્થિતિ અને ભૌગોલિક પડકારો વચ્ચે ફરજ બજાવી રહ્યા છે ત્યારે માલ સામાનની હેરફેર માટે હવે જૂની પદ્ધતિ પ્રાણીઓ દ્ અને સૈનિકો પોતાના ખંભે ઉપાડીને ચીજ વસ્તુઓની હેરાફેરી કરે છે ત્યારે આ  હમાલી માંથી સેનાને મુક્તિ અપાવવા પરિવહન માટે ડ્રોન ટ્રાન્સપોર્ટ વિમાનો તેનાત કરવામાં આવશે સેનાના મજબૂત પગ વાળા ખચ્ચર, જે એક સદીથી વધુ સમયથી આત્યંતિક પ્રતિકૂળ પડકાર જનક હવામાન અને ભૂપ્રદેશનીપરિસ્થિતિમાં  સરહદ ચોકીઓ પર નિર્ણાયક ભારનું પરિવહન કરે છે, હવે ધીમે ધીમે આધુનિક પદ્ધતિ ને વિદાય આપીને નવા ડ્રોન ટ્રાન્સપોર્ટેશન વિમાનો દ્વારા પરિવહનની વ્યવસ્થિત ઊભી કરીને મ માનવ શક્તિનો બચાવ કરવા સેના સજ બની છે લોજિસ્ટિક્સ ડ્રોન, રોબોટિક ખચ્ચર, ઓલ-ટેરેન વાહનો અને રફ-ટેરેન વાહનોને ક્રમશ: સામેલ કરી રહી છે. 12-લાખ જવાનોની સેનામાં  2027 સુધીમાં લગભગ એક લાખ કર્મચારીઓને ઘટાડવા માટે એકંદર “ફોર્સ રિસ્ટ્રક્ચરિંગ અને ઑપ્ટિમાઇઝેશન” યોજના હેઠળ, અન્ય પગલાં ઉપરાંત, પશુ પરિવહન કંપનીઓ અને અન્ય “લેગસી એકમો” ધીમે ધીમે વિખેરી નાખવામાં આવી રહી છે.

આર્મીએ પહેલાથી જ તેના “પર્વત ર્ખચ્ચર” ની સંખ્યા 1,500 ઘટાડી દીધી છે, જેઓ 120ળળ મોર્ટાર અને તેમના દારૂગોળાને દૂર-દૂરના મોરચા ઓ ઉપર લઈ જાય છે જ્યાં  રસ્તાઓ  ટ્રેક અસ્તિત્વમાં નથી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આવા કેટલાક બાકી રહેલા ખચ્ચર 2025 સુધીમાં નિવૃત્ત થઈ જશે.”એ જ રીતે, 3,300 થી વધુ “સામાન્ય  ખચ્ચર”,  રાશન, ઇંધણ, પાણી અને દારૂગોળો પરિવહન કરે છે, તેઓ આ દાયકાના અંત સુધીમાં ક્રમશ: નિવૃત્ત થશે. “2030 સુધીમાં પશુ પરિવહન  લગભગ 70% ઘટાડો થશે,” તેમણે ઉમેર્યું. સમાંતર રીતે, માત્ર છેલ્લા એક વર્ષમાં, સેનાએ 12,000 ફૂટથી વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં લોડ વહન કરવા માટે   563 લોજિસ્ટિક્સ ડ્રોન માટે રૂ. 320 કરોડથી વધુના કરાર કર્યા છે. “આવા ડ્રોન સરહદો પર તૈનાત સૈનિકોને મોરચા પર છેલ્લા પોઈન્ટ સુધી માલ પુરવઠો અને દારૂગોળો વહન કરવા માટે સૈનિકો અને કુલીઓ તેમજ પશુ પરિવહન કંપનીઓની જરૂરિયાત ઘટાડશે,” અધિકારીએ જણાવ્યું હતું.

100 ચાર પગવાળા રોબોટિક ખચ્ચર માટે પણ રૂ. 285 કરોડના સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે 10,000 ફૂટ સુધીની ઊંચાઈએ વિવિધ ભૂપ્રદેશોમાં અવરોધ ટાળવાની સુવિધાઓ સાથે સ્વાયત્ત હિલચાલ માટે સક્ષમ છે. અન્ય કોન્ટ્રાક્ટ 300 રફ-ટેરેન વાહનો માટે છે, જેમાંથી પ્રત્યેક 100 કિલોગ્રામથી વધુ ભાર વહન કરી શકે છે, લગભગ રૂ. 70 કરોડમાં. આટલી બધી પશુ પરિવહન કંપનીઓને વિખેરી નાખવાથી ખચ્ચરને તબીબી સારવાર પૂરી પાડતી પાંચ મોબાઈલ ફિલ્ડ વેટરનરી હોસ્પિટલો પણ બંધ થઈ જશે. એ જ રીતે, રીમાઉન્ટ ટ્રેનિંગ સ્કૂલ અને ડેપો, જ્યાં ખચ્ચર ઉછેરવામાં આવે છે અને તાલીમ આપવામાં આવે છે, તે પણ બંધ કરવામાં આવશે.

પ્રાણીઓની પરિવહન ની જાળવણી કરવી ખૂબ મુશ્કેલ છે કારણ કે ખચ્ચરને પર્યાવરણ , તબીબી સારવાર,  ઘાસની ગાંસડીના પરિવહન અને તેના જેવા યોગ્ય આશ્રયસ્થાનની જરૂર હોય છે. ટેક્નોલોજીના ઇન્ડક્શનથી આગળના વિસ્તારોમાં ઓપરેશનલ લોજિસ્ટિક્સની ક્ષમતા અને કાર્યક્ષમતામાં સુધારો થશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.