Abtak Media Google News

મવડા નાબૂદીના બણગાં વચ્ચે શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નવા નિયમો અમલી કરવા બોર્ડ બેઠકમાં નિર્ણય

મવડા નાબૂદીના બણગાં વચ્ચે અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની ગઈકાલે મળેલી બોર્ડ મિટિંગમાં ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ નવા જીડીસીઆર નો ચુસ્તપણે અમલ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે,જેથી હવે મવડા માં સમાવિષ્ઠ ગામોમો આડેધડ બાંધકામ પર સજ્જડ બ્રેક લાગશે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે જિલ્લા કલેકટરશ્રી ના અધ્યક્ષસ્થાને મવડા એટલે કે અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની બોર્ડ બેઠક મળી હતી જેમાં સરકારશ્રી ના ૫/૬/૨૦૧૭ ના નવા જીડીસીઆર નો કડકપણે અમલ કરવા નક્કી કરાયું હતું આનિર્ણય ને પગલે હવે મોરબી શહેર,વાંકાનેર તેમજ મવડા માં સમાવેશ થયેલા ત્રાજપર,વજેપર અને માધાપરમાં સરકારની નવી ગાઇડલાઇન મુજબ માર્જિન,પાર્કિં છોડ્યા વગર બાંધકામ નહિ થઇ શકે. વધુમાં નવા જીડીસીઆરના અમલને પગલે હવે મવડા વિસ્તારમાં બિનખેતી થતી જમીનો માં રોડ રસ્તા અને અન્ય અનામત હેતુ માટે ૪૦% કપાત નો નિયમ પણ અમલી બનાવવા માં આવશે

આમ હવે મોરબી વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા કોમન જીડીસીઆરનો અમલ કરવાનું નક્કી થતા બિલ્ડરો અને બહુ માફિયાઓ દ્વારા થતા ગેરકાયદેસર બાંધકામ ઉપર ઓટોમેટિક રોક લાગશે જે વિકાસ પામી રહેલા મોરબી વાંકાનેર વિસ્તાર માટે લાંબાગાલે ફાયદાકારક નીવડશે.

મવડા નવા ડીપી માટે સરકારમાં દરખાસ્ત કરશે

અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં થી અનેક ગામોની બાદબાકી થતા હાઈ માત્ર મોરબી અને વાંકાનેર નગર પાલિકા વિસ્તાર તેમજ ત્રાજપર,વજેપર અને માધાપર ગામનોજ સમાવેશ થતા મવડા દ્વારા ઉપરોક્ત પાંચેય વિસ્તારો માટે નવો ડેવલોપમેન્ટ પ્લાન બનાવવામાં આવશે આમાટે સરકારમાં ટૂંક સામ્યમાજ દરખાસ્ત મોકલવા બોર્ડ મિટિંગમાં ઠરાવ કરી લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

કોમન જીડીસીઆરમાં ૪૦ ને બદલે ૨૦ ટકા કપાત કરવા જિલ્લા પંચાયત પ્રમુખની માંગ

શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડની મીટીંગમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સોનલબેન જાકાસણીયા એ કલેકટરને રજૂઆત કરી હતી કે સરકારના  કોમન જી.ડી.સી.આર. મુજબ હાલ ૪૦% કપાત વધુ છે,મોરબી શહેર વિકસતું શહેર હોવાથી જી.ડી.સી.આર.ના નિયમો અનુંસાર મોરબીની પ્રજાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે જે મોરબી મવડા માટે વધુ પ્રમાણ હોય મોરબીમાં ૨૦% કપાત અને ૨.૫ એફએસઆઈ રાખવા માટે અને ૧૨ મીટર હાઈટ સુધી બાંધકામ મજુરી આપવામાં આવે અને હાલમાં ડેવલોપમેન્ટ ચાર્જ ૩૦૦ મીટર પ્રમાણે લેવામાં આવે છે જેની જગ્યાએ ૧૫૦ મીટર પ્રમાણે અને ૧.૮ની એફએસઆઈ તથા વધારાની એફએસઆઈ જંત્રીના ભાવથી ૪૦%ના દરે વહેચાતી આપવામાં આવી તેવી રજૂઆત કરી હતી. તેમજ સોનલબેનએ વધુમાં રજૂઆત કરી હતી કે મોરબીનો ઝડપથી અને સારો વિકાસ થઈ શકે તેમ છે જેથી આ અંગે વહેલી તકે સરકારમાં સુધારા દરખાસ્ત કરવામાં આવે અને આ બાબતોનો તાત્કાલિક નિર્ણય લેવા માંગણી ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.