Abtak Media Google News

જુનાગઢ મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપ પક્ષે જંગી બહુમતી મેળવવા બદલ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તેમજ જુનાગઢ શહેરના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તેમજ શહેર સંગઠનના ટીમ તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો ઉપરાંત જુનાગઢ શહેરના તમામ સંગઠનના હોદેદારોને ખૂબ ખૂબ અભિનંદન  મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમારે પાઠવ્યા હતા.

ભાજપના વિકાસના કામો ધ્યાનમાં રાખી જુનાગઢના મતદારોએ જંગી બહુમતી અપાવેલ છે. ચુંટણી દરમ્યાન ભાજપના તમામ નેતાઓ, કાર્યકરોએ, પણ ખુબજ ખંતથી મહેનત કરેલ, જેનું આ પરિણામ મળેલ છે. અગાઉ પણ ગત લોકસભાની ચુંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ભારતીય જનતા પક્ષે વિજય મેળવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.