Abtak Media Google News

મહારાષ્ટ્ર ના નાસિક જિલ્લા ના માલેગાંવ ખાતે ૨૦૦૮ માં થયેલા બોમ્બ વિસ્ફોટ માં મુખ્ય સાધ્વી પ્રજ્ઞાસિંહજી ઠાકુર ની ધરપકડ કરવામાં આવી હતી અને ૨૪ દિવસ સુધી તેમના પર અમાનવીય અત્યાચારો ગુજારવામાં આવ્યા હતા માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસ માં ભયાનક યાતના સહન કરનાર સાધ્વી પ્રજ્ઞાસિંહજી ઠાકુર ગુજરાત ના પ્રવાસે આવ્યા છે ત્યારે ગુજરાત ના ગૌરવ એવા સાધ્વી ને અનેક હિન્દુ સંગઠનો દ્વારા સન્માનિત કરવામાં આવી રહ્યા છે અને સાધ્વીજીએ પોતે હિન્દુ સંગઠનો ના સંચાલકો ને સન્માનિત કર્યા છે ખરેખર સાધ્વીજી હિન્દુ સંગઠનો , હિંદુત્વ , અને લવ જેહાદ નો ભોગ બનતી બહેન દીકરીઓ , ગૌ રક્ષા માટે લડી રહ્યા છે બોમ્બ બ્લાસ્ટ જેવા કેસ માં પણ તે જેલ વાસ ભોગવી બહાર આવી ચૂક્યા છે ત્યારે ગુજરાત હિંદુસેનાએ સાધ્વીજી ના છૂટકારા માટે પ્રાર્થના , હવન , રામધૂન સહિત ના કાર્યક્રમો આપ્યા હતા

Advertisement

હાલ માં ગુજરાત માં આવેલ સુરત થી નજીક બિલ્લીમોરા સ્થિત ગંગાધર ગૌ શાળા ની પ્રથમ સાલગિરા નિમિટે સાધ્વીજી ની સભા તથા સંપર્ક નું આયોજન હતું બિલ્લીમોરા માં સાધ્વી પ્રજ્ઞાસિંહજી ઠાકુર દ્વારા જામનગર થી ગયેલા આશુતોષભાઈ પાઠક કે જે ગૌ રક્ષા દળ ની જવાબદારી સંભાળી રહ્યા છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને આવતા સમય માં જામનગર માં હિન્દુ સંગઠનો ને એક કરવાના ભવ્ય કાર્યક્રમ ના આયોજન માં સાધ્વીજીએ હાજરી આપી કાર્યકરો ને સાંબોધવાની તૈયારી બતાવી હતી .

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.