Abtak Media Google News

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં દમ તોડયો: કારણ અંગે રહસ્ય

અબતક,રાજકોટ

ગીર સોમનાથ વેરાવળનાં પુર્વ ધારાસભ્યના સરપંચ પુત્રએ અઠવાડીયા પૂર્વે ગામમાં ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેનું સારવારમા મોત નિપજયું હતુ. બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત્ત વિગતો મુજબ વેરાવળના આદ્રી ગામે રહેતા ગીર સોમનાથના પૂર્વ ધારાસભ્ય અને આહિર સમાજના અગ્રણી રાજશીભાઈ જોટવાનાં સરપંચ પુત્ર મહેન્દ્રભાઈ ઉર્ફે મયુરભાઈ જોટવા ઉ.32એ અઠવાડીયા પહેલા પોતાની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

જયાં તેનું ગઈકાલના સારવારમાં મોત નિપજયું હતુ બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસ મથકના મહિલા પીએસઆઈ બુડાસણા સહિતના સ્ટાફને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે પૂર્વ ધારાસભ્યને સંતાનમાં બે પુત્ર છે જેમાં મૃતક મયુર નાનો હોવાનું અને આદરી ગામનો સરપંચ હોવાનું જાણવા મળ્યું હતુ
પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ હાથ
ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.