Abtak Media Google News

સાંગણવા ચોક ખાતેની જ્ઞાતીની વાડીની નવીનીકરણની કામગીરી પૂર્ણ

શહેરનાં સાંગણવા ચોક ખાતે આવેલ લોહાણા મહાજન વાડીમાં નવીનીકરણની જરૂરીયાત હોવાથી તેનું રિનોવેશન પૂર જોશથી કરવામાં આવ્યું છે જેને અનુલક્ષીને તા.૩ને રવિવારના રોજ બપોરે ૪ થી ૬ વાગ્યા સુધી સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ સમાજના આગેવાનોએ અબતક મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી. મુલાકાતે આવેલ આગેવાને કહ્યું કે રાજકોટમાં રઘુવંશી પરિવાર ખૂબજ મોટુ સમાજ ધરાવે છે. શહેરમાં ૪ વિવિધ સ્થળોએ જ્ઞાતીની વાડી છે. જેમાં જગ્યા તો સારી છે પરંતુ તેમાં નવા રંગ રોગાન અને વ્યવસ્થાની જરૂરીયાત જણાતા સમગ્ર વાડીનું રીનોવેશન કરવામાં આવ્યું છે. જેમાં એક સેન્ટ્રલ એ.સી. હોલ પણ રાખવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.