Abtak Media Google News

રાપરમાં એક, ઉનામાં બે અને કચ્છના ભચાઉમાં ચાર આંચકાથી લોકોમાં ભય: કોઈ જાનહાની નહિ

રક્ષાબંધને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના કુલ સાત આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રાપરમાં એક, ઉનામાં બે અને કચ્છના ભચાઉમાં ચાર આંચકાથી લોકોમાં ભય તો છે પણ કોઈ જાનહાની થવા પામી નથી.

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, ગઈકાલે સાંજે 6:59 કલાકે ઉનાથી 17 કિમી દૂર 1.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ સાંજે 7:29 કલાકે ઉનાથી 17 કિમી દૂર 1.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. મોડી રાતે કચ્છના ભચાઉથી 16 કિમી દૂર 2.8ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું તેની બે મિનિટ બાદ જ 12:54 કલાકે ભચાઉથી 16 કિમી દૂર 2.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. આજે વહેલી સવારે 4:18 કલાકે કચ્છના રાપરથી 6 કિમી દૂર 2.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ સવારે 5:21 કલાકે કચ્છના ભચાઉથી 17 કિમી દૂર 1.6ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું અને છેલ્લે સવારે 8:14 કલાકે કચ્છના ભચાઉથી 18 કિમી દૂર 3.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું.

વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.