Abtak Media Google News

કચ્છમાં સિઝનનો 112 ટકા તો સૌરાષ્ટ્રમાં 65 ટકા વરસાદ પડ્યો, સમગ્ર રાજ્યમાં સરેરાશ સિઝનનો 47 ટકા વરસાદ પડ્યો: ચોમાસુ હજુ 2 મહિના જામશે

ગુજરાતમાં વરસાદે આ વખતે ધબધબાટી બોલાવી છે. ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 47 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડ્યો છે. બીજી તરફ, આ વર્ષે બિપોરજોય સાયક્લોન ત્રાટક્યુ હોવાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આ વર્ષે વરસાદે રેકોર્ડ તોડ્યો છે. છેલ્લાં વીસ વર્ષની સરખાણમીમાં આ વર્ષે અહીં વિચિત્ર રીતે વધુ વરસાદ ખાબક્યો છે.હાલ ઉત્તર ભારતમાં ભારે વરસાદે જોરદાર તબાહી મચાવી છે. અહીં અત્યાર સુધીમાં 91 લોકોનાં મોત થયા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. બીજી તરફ, ગુજરાતમાં પણ વરસાદે કેટલાંક વિસ્તારોમાં ધબધબાટી બોલાવી છે. જો સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો આ વિસ્તારોને શુષ્ક અને અર્ધ શુષ્ક માનવામાં આવે છે.

ખાસ કરીને અહીં પીવાના પાણીની પણ ભારે તંગી છે. ત્યારે આ વખતે વરસેલા વરસાદે સૌરાષ્ટ્ર અને કચ્છને તરબોળ  કરી દીધું છે. છેલ્લાં 20 વર્ષની સરખામણીમાં અહીં સો ટકા વરસાદ નોંધાયો છે. તેમ છતા કેમ અહીં પીવાના પાણીની તંગી એવી ને એવી જ હોય છે? કારણ કે અહીં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણીનો સંગ્રહ કરવો એ જ મોટી સમસ્યા છે. બીજી તરફ, સરકારી રેકોર્ડમાં પાણીની સપાટીના સ્તરમાં સુધારો થયો હોવાની વાત છે

બીજી તરફ, નિષ્ણાંતોનું માનીએ તો તેઓ આ ઘટનાને વરસાદની પેટર્નમાં ફેરફાર માની રહ્યા છે. જેના કારણે રાજ્યમાં સતત વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે બિપોરજોય સાયક્લોન પણ ત્રાટક્યું હતું અને એના કારણે અનેક વિસ્તારમાં ભારે વરસાદ પણ પડ્યો હતો. જેના કારણે આ વર્ષે બિપોરજોય પણ અતિવૃષ્ટિનું એક કારણ ગણાવી શકાય છે. તો સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સિઝનનો 65 ટકા તથા કચ્છ જિલ્લામાં 112 ટકા વરસાદ નોંધાયો છે. તો ગુજરાતમાં સિઝનનો 47 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં રાજ્યનો સૌથી વધુ વરસાદ પડ્યો છે.

અહીં અત્યાર સુધીમાં 34.5 ટકા વરસાદ નોંધાયો છે.જો કે, ચોમાસાને હજુ બે મહિનાનો સમય બાકી છે. ત્યારે એવી પણ આશા છે કે, આ વખતે હવે સામાન્ય વરસાદ પડી શકે છે. તો અલ નીનો પણ સક્રિય બની શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, પશ્ચિમ મધ્ય ભારત પર તેની અસર પડી શકે છે. જો કે, મંગળવારે શહેરમાં થોડો તડકો નીકળ્યો હતો અને લોકોને પણ ભારે બફારાનો અહેસાસ થયો હતો. અમદાવાદમાં મંગળવારે 34 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયુ હતું. જે સોમવાર કરતા બે ડિગ્રી વધારે હતું. તો આ વખતે અમદાવાદમાં સિઝનનો 50 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે, તેમ છતા લોકોને બફારો લાગી રહ્યો છે. આગાહીનું માનીએ તો, આગામી દિવસોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્ય વરસાદ પડે એવી શક્યતા છે.

હવામાન વિભાગનું માનીએ તો, બુધવારથી ગુજરાતમાં વરસાદ વિરામ લે એવી શક્યતા છે. જેના કારણે થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, આગામી ચાર દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. પાછલા અઠવાડિયામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે જનજીવન પણ ઠપ થયું હતું. જો ઉત્તર ભારતની વાત કરવામાં આવે તો અહીં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, યુપીમાં ભારે વરસાદ પડ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.