Abtak Media Google News

મોંઘવારીથી પીડામાંથી બહાર આવવા ભાજપ સરકારે વક્તવ્યને બદલે ‘કર્તવ્ય’ પર ધ્યાન આપે

નીતનવા માર્કેટિંગ માટેના નામો અને નારાથી સામાન્ય-મધ્યમ વર્ગના લોકોનું પેટ ભરાતું નથી

ગરીબ વિરોધી ભાજપ સરકારના શાસનમાં પેટ્રોલ-ડીઝલ, એલપીજી ગેસ, સીલીન્ડર, તેલ, શાકભાજી જેવી જીવનજરૂરી ચીજવસ્તુના ભાવ આસમાને પહોચ્યા જ છે હવે તો રસોઈમાં વપરાતા મસાલામાં થતા અસહ્ય ભાવ વધારા અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે અચ્છે દિન, અમૃતકાળ જેવા નીતનવા માર્કેટિંગ માટેના નામો અને નારાથી સામાન્ય-મધ્યમ વર્ગના લોકોનું પેટ ભરાતું નથી. રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરી સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે.

Screenshot 8 8

ભાજપ સરકારના લુંટકાળમાં જાનલેવા મોંઘવારીમાં જનતાની બચત પર રોજ લુટ ચાલી રહી છે. દૂધ, દહીં, ધી, ચા, ખાંડ સહીતની રોજીંદા જીવનની ખાવાપીવાની ચીજવસ્તુઓ તો અસહ્ય મોઘી થઇ જ છે તેની સાથે સાથે ગૃહિણીના રસોડામાં આગ લાગી હોય તેમ મસાલાઓમાં પણ આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. છેલ્લા છ મહિનામાં જુદા જુદા મસાલામાં 25 ટકાથી લઈને 40 ટકા સુધીનો ભાવ વધારો થયો છે.

જાન્યુઆરીમાં 350-375 રૂપિયે કિલો મળતું જુરું હાલ 675-700 રૂપિયે કિલો, લાલ મરચું 220-250થી વધીને 325-350 અને લવિંગ 700-800 રૂપિયે કિલો મળતું હતું એ આજે 1000-1100 પ્રતિકિલોને પાર થયું છે. આ સિવાય ધાણા, હળદર, સુંઢ, વરિયાળી, મેથી, અજમો, અને મરી સહીતના રોજીંદા વપરાશના મસાલામાં અસહ્ય ભાવ વધારાએ ગૃહિણીનું બજેટ ખોરવી નાખ્યું છે.

ભાજપ સરકારના અણઘડ વહીવટ અને સામાન્ય-મધ્યમવર્ગ વિરોધી નીતિઓને કારણે ગુજરાતના યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને નાના ઉદ્યોગો-વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. મોઘવારી દુર કરવાના વચનો આપનારી ભાજપ સરકારએ સાત વર્ષમાં કયાંય ભાવ ઘટાડો કર્યો નથી. મોંઘવારીથી પીડામાંથી બહાર આવવા ભાજપ સરકારે વક્તવ્યને બદલે ’કર્તવ્ય’ પર ધ્યાન આપે તો કઈક અંશે નાગરીકોને રાહત મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.