Abtak Media Google News

શહેર એડવોકેટ સ્વ. શૈલેષ બી. પરસોંડાનું ગત તા. ૨૬-૧૨-૨૦૧૩ ના રોજ અવસાન થયેલું તેઓની પાંચમી પુણ્યતિથિ તા. ર૬ ને બુધવારના રોજ પરીવાર દ્વારા થેલેસીમીયા પીડીત બાળકોના લાભાર્થે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે.

સ્વ. શૈલેષ પરસોંડા નાનીવયે પોતાના સ્વભાવ તથા કામનીષ્ઠા ની આવડતના કારણે વકીલમિત્રો તથા તેઓના અસીલોમાં ખુબ જ ચાહના ધરાવતા હતા. વકીલમિત્રો, સમાજના અગ્રણીઓ અને તેમના મિત્રમંડળો તેમને પાંચમી પુણ્યતિથિ નીમીતે શ્રઘ્ધાંજલી અર્પવા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. જે બ્લડ ડોનેશન કેમ્પ, વંદના કોમ્પલેક્ષ વંદના સાડીની બાજુમાં બજરંગવાડી શેરી નં.ર, જામનગર રોડ ખાતે તા. ર૬ને મંગળવારના રોજ સવારના ૯ થી બપોરના ૩ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. જે બ્લડ ડોનેશન કેમ્પનુ દિપપ્રાગટય હાલ મેયર બીનાબેન આચાર્ય તથા ઉદય કાનવડ, અશ્વિન મોલીયા, મનીષભાઇ રાડીયા, દર્શીતાબેન શાહ, જૈમીન ઠાકર તથા સોફીયાબેન દલ તથા બાર એસો.ના પ્રમુખ તથા હોદેદારોના વરદહસ્તે કરવામાં આવશે. તેમજ રકતદાતાઓને રૂ ૫૧ હજારનો અકસ્માત વિમા પોલીસી, સર્ટીફીકેટ તથા ભેટ આપવામાં આવશે. તેમ એડવોકેટ હરેશ પરસોડાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.