Abtak Media Google News

સ્વ. બાલકૃષ્ણ રતીલાલ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા રેલવે ડીવીઝનના સંયુકત ઉપક્રમે લોકો કોલોની જામનગર રોડ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન થયું જેમાં રેલવેના ડીઆરએમ નીનાવે તથા અધિકારીઓ તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટી બ્રીજેશભાઈ શાહ તથા ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતુ કે રેલવેની જમીન પર અંદાજીત ૩૫૦ વૃક્ષોવાવામાં આવશે. અને ગાર્ડન બનાવવામાં આવશે જે ગાર્ડન લોકો કોલોનીના રહેવાસીઓને ઉપયોગી થશે સાથે પર્યાવરણનું જતન પણ થશે વધુમાં બ્રીજેશભાઈએ જણાવ્યું કે અમો ખાલી વૃક્ષો વાવી ને સંતોષ નહીમાની પરંતુ ઉછેરમાં પણ ધ્યાન આપી સારું ગાર્ડન બનાવીશું જે લોકો ઉપયોગી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.