Abtak Media Google News

રાજકોટ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સુંદર આયોજન: આયોજકો અબતકના આંગણે

આવતીકાલે તા.૧૩ને મંગળવારે દશનામ ગોસ્વામી સમાજ રાજકોટ દ્વારા શિવશોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે શહેરનાં મુખ્ય માર્ગો ઉપર બમ બમ ભોલેના નાદ સાથે ફરી વળશે શિવ શોભયાત્રાને ૧૧ દિકરીના હાથે પ્રસ્થાન કરાવવામાં આવશે રૂટ દરમ્યાન શિવ તાંડવ રજૂ કરવામાં આવશે. તોપ દ્વા ફૂલોનો વરસાદ કરવામાં આવશે.

Advertisement

આ શિવરાત્રીનાં દિવસે સમગ્ર રાજકોટ શિવમય બની જશે. દશનામ ગોસ્વામી સમાજના ગુજરાતી ફિલ્મ કલાકાર દેવપુરી (દેવપગલી) ગોસ્વામી હાજર રહેશે. આ શોભાયાત્રામાં જુદીજુદી સંસ્થાઓ જુદા જુદા સામાજીક આગેવાનો જુદી જુદી જગ્યાએથી શોભાયાત્રાનું સ્વાગત કરશે.

શિવશોભાયાત્રાનો મુખ્ય રથ બરફની શિવલીંગનો હશે શિવશોભાયાત્રાનો રૂટ નાગેશ્ર્વર મહાદેવ મંદિર ચારભૂજા મારબલની બાજુમાં ગોંડલ રોડથી પ્રસ્થાન થઈને પી.ડી.એમ. કોલેજ સ્વામીનારાયણ ચોક આનંદ બંગલા ચોક, મવડી મેઈનરોડ, મવડી ચોકડી, બાપાસીતારામ ચોકથઈને બી.ડી. કામદાર કવાર્ટરમાં સમાપન કરવામાં આવશે. સમાપન બાદ મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ મહાપ્રસાદ મહાફરાળનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને આ શોભાયાત્રામાં જોડાવવા આહવાન કરાયું છે.

કાર્યક્રમને સફળ બનાવવા જયેન્દ્રગીરી ગોસ્વામી, રાધેશ્યામ બાપુ ગોસ્વામી, હરેશગીરી બાપુ, વનરાજગીરી બાપુ, પ્રભાતગીરી બાપુ, પ્રકાશપરી બાપુ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.