Abtak Media Google News

સ્વ.પુજીત રૂ’પાણીની જન્મજયંતિ નિમિત્તે બાળસંગમ ૨૦૧૮ કાર્યક્રમનું અનોખું આયોજન

 

Advertisement

પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ આયોજીત બાળસંગમ-૨૦૧૮ કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૮ ઓકટોબરના રોજ સ્વ.પુજીત એ રૂપાણીના જન્મદિને શહેરની ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને કચરો વિણતા બાળકોને એક દિવસ પુરતુ પણ કિલ્લોલ કરતું બાળપણ મળી રહે તેવા શુભ હેતુથી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ દ્વારા રેસકોર્સ ફનવર્લ્ડ ખાતે સવારે ૮:૩૦ વાગ્યે બાળસંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમનાં ઉદઘાટક તરીકે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે. જયારે અતિથિ વિશેષ તરીકે બાન લેબ્સ પ્રા.લી. રાજકોટના ડિરેકટર મૌલેશભાઈ ઉકાણી ઉપસ્થિત રહેશે. સામાન્ય રીતે આપણે આપણા બાળકોના જન્મદિન પરીવાર, સ્નેહીજનો, મિત્ર-વર્તુળ સાથે ઉજવીએ છીએ.

જયારે રૂપાણી પરીવાર છેલ્લા ૨૪ વર્ષથી રાજકોટ શહેરની ઝુંપડપટ્ટીમાં વસતા અને કચરો વિણતા બાળકોને એકત્ર કરી તેમને ફનવર્લ્ડની તમામ રાઈડસની સહેલ કરાવી, જાદુના ખેલ જેવા મનોરંજન કાર્યક્રમ સાથે ભાવતા ભોજનીયા કરાવી તમામ બાળકોને મન મોહી લે તેવી ગીફટ આપી ઉજવણી કરે છે.

આગામી ૮મી ઓકટોબરના યોજાયેલ આ કાર્યક્રમનું એક ખાસ આકર્ષણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો લોકપ્રિય બાળ કલાકાર ટપુડો ખાસ ઉપસ્થિત રહેશે તેમ ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી, મેહુલભાઈ રૂપાણી, મહેશભાઈ ભટ્ટ તથા અનિમેષ રૂ’પાણીએ જણાવ્યું છે. આ કાર્યક્રમની તૈયારીમાં ટ્રસ્ટના ૫૦થી વધુ કાર્યકર્તાઓની જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.