Abtak Media Google News

જુનાગઢ: પોલીસમેનની પુત્રીને અંધશ્રદ્ધાના કારણે સાસરિયાઓનો અમાનુષ ત્રાસ

મુંબઈના પતિ,સસરા – સાસુ,જેઠ,જેઠાણીઅને નણંદ સામે નોંધાતો ગુનો

ડિજિટલ યુગમાં પણ લોકો અંધશ્રદ્ધા વિરુદ્ધ એટલી હદે પ્રેરિત થયા છે કે પોતે શિક્ષિત હોવા છતાં પણ અંધશ્રદ્ધામાં ન કરવાનું કરી બેસે છે જેનું પરિણામ હંમેશા અંતે દર્દનીય હોય છે. ત્યારે અંધશ્રદ્ધાની વધુ એક ઘટના સામે આવી છે જૂનાગઢમાં રહેતા પોલીસમેનની પુત્રીના મુંબઈ ખાતે લગ્ન થયા હતા. જ્યાં તેના સાસરિયાંઓ તેને ગાળો આપી માર મારતા હતા અને અંધશ્રદ્ધામાં તેને કહેતા કે ” તું માતાજીની ગુનેગાર છો” જેથી તે માટે તેનું મોઢું કારું કરી ચપ્પલનો આર પહેરાવી અને મોઢામાં બુટ પકડાવી મઢના આટા ફેરવતા હતા જેથી આ બાબતે તેને તેના પરિવારજનોને વાત કરતા તેણીએ તેના મુંબઈના પતિ , સસરા – સાસુ,જેઠ,જેઠાણી અને નણંદ સામે ગુનો નોંધાવ્યો છે.

વિગતો મુજબ જુનાગઢ પોલીસ હેડ ક્વાટરમાં રહેતા સુરભીબેન ઉગરેજીયાએ આરોપીમાં મુંબઈ રહેતા પતિ કૃણાલભાઈ, સસરા ગોપાલભાઈ પીતાંબરભાઈ ઊગરેજીયા, સાસુ પુનમબેન, જેઠ રાહુલ, જેઠાણી છાયા અને નણંદ રોશની વિજયભાઈ થડકીયાના નામો આપ્યા હતા જેમાં તેને જણાવ્યું હતું કે, તેણીના લગ્ન 14 ડીસેમ્બર 2021ના રોજ થયા હતા લગ્ન પછી પતિને જેઠાણી સાથે આડા સંબંધ હોય રત્ના બે વાગ્યા સુધી જેઠાણીના રૂમમાં પડ્યો રહેતો પછી આવી મોઢું ચડાવીને સુઈ જતા મુવી જવા જાય ત્યારે મોડું થાય છે તેમ કહેતી તો ખાલી રોડ પડ્યો છે હાલતી થઇ જા કહી અપમાનિત કરતા પોછાથી મોઢા પર મારી ગાલી ગલોચ કરતા રૂમમાં પૂરી રાખતા મને બધા શારીરિક માનસિક ત્રાસ આપતા અને તે બધા સામેના રૂમમાં હસી મજાક કરી મારી હાસી ઉડાવતા હતા.

વધુમાં તેને જણાવાયું હતું કે,હું ચાર મહિના પ્રેગનેટ છું તો આ લોકોએ માતાજીના ગુનામાં છો કહી પ્રેગનેન્સી હોવા છતાં મને ચપ્પલનો હાર પહેરાવી કાળું મોઢું કરી જીભે ડામ દઈ, માથે સગડી ઉપડાવી, મોઢામાં બુટ રાખી મઢના સાત આંટા મરાવ્યા હતા અને અત્યાચાર કર્યો હતો તેના ત્રાસને લીધે મને મિસકેરેજ થઇ ગયું હતું ત્યારે ફરી મારા માબાપને વાંકમાં છુઓ કહી માં બાપને ચપ્પલ માર્યા હતા છતાં મારા માબાપે સહન કર્યું હતું સગાઇ પછી જેઠાણીએ કહ્યું હતું કે કૃણાલભાઈ એમ કહેતા હતા કે મારે વહુની જરૂર નથી તમે તો છો મેં પોલીસ ફરિયાદ કરતા પતિએ હું રેડ ઝોનમાં આવી જઈશ મને ક્યાય નોકરી નહિ મળે તેમ કહેતા મેં ફરિયાદ પાછી લીધી હતી ત્યારે ગુસ્સામાં એબોશન કરી છૂટાછેડા આપી દેવાનું કહી તાત્કાલિક પ્લેનની ટીકીટ કરાવી મને માવતરે મૂકી ગયા હતા હું કરિયાવર પણ લાવી નથી, એક લાખનો ચેઈન પણ ત્યાં જ છે જુનાગઢ આવ્યા ત્યારે ગર્ભપાત કરાવી નાખ નહિતર તને અને તારા માબાપને મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ત્રાસને લીધે મને મિસકેરેજ થઇ ગયું હતું. મારા જેઠાણીને તેની નાની બહેન સાથે લગ્ન કરાવવા હતા તે ન થયા એટલે આવું કર્યું કે પછી શું તે મને ખબર નથી મારો પતિ જેઠાણીના ખોળામાં માથું નાખીને સુએ છે અંતે ત્રાસ સહન નહિ થતા ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.