Abtak Media Google News

જેતપુરમાં છેલ્લા સમયથી એક પછી એક વેપારી ફુલેકુ ફેરવી અનેક લોકો ને ચૂનો લગાડી ફરાર થઈ જવાની ઘટના જોવા મળી રહી છે તેમાં જ થોડા દિવસ પહેલા એક નામાંકિત સોની વેપારી અંદાજે ૯૦ કરોડનું ફુલેકુ ફેરવી છું.. થઈ જતા આ વાત ટોપ ઓફ થી ટાઉન બની છે

Advertisement

જાણવા મળતી વિગત મુજબ અહીંના મતવા શેરી માં આવેલ એક પ્રતિષ્ઠિત સોની વેપારી છેલ્લા એક સપ્તાહ થી પોતાની દુકાને તાળા મારી ફરાર થઇ ગયો છે.લોકો ને આ વેપારી અંગે તપાસ કરતા માલુમ પડેલ કે આ સોની વેપારી ગામ મૂકી પલાયન થઈ ગયો હોય ધીમે ધીમે એક પછી એક બિલાડીના ટોપની જેમ જાણવા મળેલ કે આ સોની વેપારીએ શહેર માંથી અનેક માધ્યમ વર્ગ તેમજ શરાફી લોકો પાસેથી કરોડો રૂ. લઇ છું મંતર થઈ ગયો છે.અમુક લોકોએ પોતાની મરણ મૂડી પણ આ વેપારી ને નજીવા વ્યાજે આપેલ હોઈ આ વેપારીના પાલયણથી તેવોના જીવ ઉચકાઈ ગયા છે

જેતપુર શહેર માં આ કોઈ ફુલેકુ ફેરવવાની પ્રથમ ઘટના નથી હજી થોડા સમય પહેલા એક ફાઇનાન્સ પેઢી ૩૦૦ કરોડ તેમજ સમાંકાંઠે ડ્રેસનો વેપારી પણ કરોડો નું ફુલેકુ ફેરવી પલાયન થઈ ચૂક્યો છે.અને હજી પણ આવનારા દિવસોમાં કેટલાક ડ્રેસના વેપારીઓ ગામ મૂકી પલાયન થવાની તૈયારીમાં હોઈ તેવું સૂત્રો માંથી જાણવા મળેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.