Abtak Media Google News

બમ બમ ભોલે

3 લાખ શ્રદ્ધાળુઓએ એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવ્યું : સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવા પ્રથમ વખત આઇટીબીપીના જવાનો તૈનાત

બમ બમ ભોલેના નાદ સાથે આવતીકાલે ભગવતી નગરથી અમરનાથ યાત્રાનો પ્રારંભ આવતીકાલથી થશે. ભક્તોની પ્રથમ ટુકડી અમરનાથ ગુફા તરફ રવાના થશે. આવતીકાલથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે અત્યાર સુધીમાં લગભગ 3 લાખ શ્રદ્ધાળુઓએ એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

Advertisement

અમરનાથ શ્રાઈન બોર્ડ અને સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે, શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.આ વર્ષે યાત્રામાં રેકોર્ડબ્રેક સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે તેવી અપેક્ષા છે.

ગત વર્ષે 44 દિવસની યાત્રામાં લગભગ 20 દિવસ ખરાબ હવામાનને કારણે પ્રવાસને ઘણી અસર થઈ હતી. આ વખતે સુરક્ષા વ્યવસ્થામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના જવાનો, જેઓ પર્વતીય યુદ્ધની તાલીમ લે છે, તેમને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સને બદલે ગુફા મંદિરમાં તૈનાત કરવામાં આવ્યા છે.આ બેચ પહેલા બાલતાલ અને પહેલગામના બેઝ કેમ્પ પહોંચશે, ત્યાંથી શનિવારે યાત્રા ઔપચારિક રીતે શરૂ થશે. બાલતાલ અને પહેલગામ રૂટથી બાબા બર્ફાનીના દર્શન માટે આગળ વધશે.

ભગવતી નગર બેઝ કેમ્પ અને તેની આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓને લઈ જનારા કાફલાને પણ સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. સીઆરપીએફના જવાનો તૈયાર રહેશે અને સુરક્ષા આપશે. સેના અને પોલીસ આ વિસ્તારને નિયંત્રિત કરશે. એટલુંજ નહીં ડેપ્યુટી કમિશનર જમવું એ જણાવ્યું હતું કે યાત્રિકો માટે 33 જેટલા લોજીંગ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જે શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા માટે જઈ રહ્યા છે તેઓને એક વિશેષ ટેગ આપવામાં આવ્યો છે જે તેમને ધારણ કરવો જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.