Abtak Media Google News

મુખ્યમંત્રીએ કહ્યું ગુજરાતની સુરક્ષા-શાંતિ માટે અસામાજિક તત્વો સદાય ફફડતા રહે તે માટે પોલીસે લાલ આંખ રાખવી જરૂરી

રાજય સરકારની સુખ સમૃધ્ધિ સદાય વિકાસશીલ બની રહે તે માટે રાજયમાં શાંતિ અને સુરક્ષા સલામતી જરૂરી હોય અસામાજિક તત્વો સદાય ફફડતા રહે તે માટે ગુજરાત પોલીસે લાલ આંખ રાખવી ખુબજ જરૂરી છે તેમ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજરોજ રાજકોટ ખાતે કવાટર્સ આવાસ ફાળવણી કરવાનાં સમારોહમાં જણાવ્યુ હતું.

Advertisement

રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, પોલીસ વિભાગનાં કર્મચારીઓની ફરજને ધ્યાનમાં રાખી તેમને નોકરીનાં સ્ળે તેમનાં કુટુંબ સો જ રહેવુ જરૂરી હોવાી તેઓ તેમનાં માતા-પિતા અને કુટુંબ પરિવાર સો આરામ અને સુવિધાજનક રહી શકે તે માટે રાજય સરકાર હવેી વર્ગ-૩ના પોલીસ કર્મચારીઓને બે રૂમ રસોડુ હોલ સહિતનાં સુવિધાજનક આવાસ કવાર્ટસ પુરા પાડવામાં આવશે તેમ રાજય સરકારે નિર્ણય કર્યો છે અને આ બાબતે કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી છે.

રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, વહિવટી કામગીરીને સુદ્રઢ અને ગતિશીલ બનાવવા ૬૭ હજાર કર્મચારીઓની નિમંણુક કરવામાં આવશે તે કામગીરી પુર્ણ વાની તૈયારીમાં છે અને તેનાં ભાગરૂપે જ રાજય સરકારે તાજેતરમાં ૧૭ હજાર પોલીસ કર્મચારીઓની ભરતી કરી છે અને તેને તાજેતરમાં આ તમામને રાજય સરકાર ધ્વારા નિમણુંક પત્ર આપી દેવામાં આવશે આમ રાજય સરકાર પ્રજાની સુવિધા માટે જે નિણર્ય કરે છે તે મકકમ નિધાર્ર સો પુર્ણ પણ કરે છે.

રાજકોટ પોલીસ હેડ કવાટર્સ ખાતે રાજયનાં મુખ્યરમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજય પોલીસ આવાસ નિગમ લિ. ધ્વા રા રાજકોટ શહેરનાં પોલીસ હેડ કવાટર્સ ખાતે રૂા. ૪૯૧.૭૪ લાખનાં ખર્ચે તૈયાર યેલ ૪૦ આધુનિક પોલીસ આવાસ તા શહેરનાં રામનાપરા પોલીસ લાઇન ખાતે પણ રૂા. ૪૯૧.૭૪ લાખનાં ખર્ચે તૈયાર યેલ આવાસ અર્પણ સમારોહનું બીલ્ડીંગની તખતીનું અનાવરણ કર્યુ હતું અને રીબીન કાપીને લોકાર્પણ કર્યુ હતું બાદમાં મુખ્યીમંત્રીશ્રીએ કવાટર્સના લાર્ભાી પોલીસ પરીવારોને ચાવી અર્પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.