Abtak Media Google News

દુધરેજ ખાતે વડવાળા દેવના દર્શન કરતા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી

સુરેન્દ્રનગર મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતે આવેલ રબારી સમાજના વડવાળા મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે પણ વડવાળા દેવ અને સમાધિ સ્થળના દર્શન કર્યા હતાં. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું વડવાળા મંદિર ધાર્મિક સંસ્થાના મહંત શ્રી કનીરામ બાપુએ સ્વાગત કર્યુ હતું.

Advertisement

Hon. C.m. At Vadvala Mandir Dt.13 5 2018 14મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ આ તકે જણાવ્યું હતું કે ગુજરાત અહિંસા અને માનવ સેવાના કાર્યો થકી આગળ વધ્યું છે. પશુ પંખી પ્રત્યે કરુણાભાવ રાખવા અને તેમનું જતન કરવાનું કર્તવ્ય સરકાર સમાજના સહકારથી બજાવી રહીશ છે, ગૌ હત્યા નિવારણ કાયદો બનાવીને રાજ્ય સરકારે ગૌવંશ અને ગાય માતાને સુરક્ષા બક્ષી છે.

Hon. C.m. At Vadvala Mandir Dt.13 5 2018 18

મુખ્યમંત્રીએ પશુપાલનને ઉત્તેજન આપવા રાજ્ય સરકારે અનેક યોજના બનાવી છે. તેમ જણાવી નવા પશુફાર્મ માટે રુપિયા ત્રણ લાખ સુધીની સબસીડી આપવામાં આવી રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.