Abtak Media Google News

રાજકોટના ચાર સહિત 24 ફોજદારો બદલાયા

રાજ્ય પોલીસ દળમાં મોટાપાયેએ બદલી અને બઢતી ના દોર વચ્ચે  સૌરાષ્ટ્રના 24 સહિત રાજ્યના 99 હથિયારી ધારી ફોજદારોની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. તું વિગત મુજબ રાજ્ય ચૂંટણી પંચના આદેશ મુજબ ત્રણ વર્ષથી વધુ સમયે  એક જ સ્થળે ફરજ બજાવતા સરકારી કર્મચારીઓની બદલાવાના હુકમ મુજબ 99 પી.એસ.આઇ ની બદલીના હુકમ કરવામાં આવ્યા છે.

જેમાં રાજકોટ શહેરમાં ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ આર ઝાલા ને જુનાગઢ,અનિલ કુમાર ગીરજાશંકર ત્રિવેદીને, ભાવનગર, નિકુંજ હસમુખરાય રાઠોડને ભાવનગર, કૃષ્ણ બહાદુર સોનીને ગોંડલ, ભુજ રમેશકુમાર ગાગલ ને મોરબી, ભુજના ગજેન્દ્રસિંહ જાડેજા ને જામનગર,ગાંધીધામના ભગવાનજીભાઈ જાડેજાને જામનગર, આતું મહેશ્વરીને રાજકોટ ગ્રામ્ય, નરપતસિંહ જાડેજા ને બનાસકાંઠા, જેન્તીભાઈ ચાવડા અને રાજકોટ ગ્રામ્ય રાજકોટ ગ્રામ્યના વિજયકુમાર વિજાપરા ને ભુજ સુરેન્દ્રનગરના ધીરુભાઈ ભુવાતરા ને ગાંધીધામ અમરેલીના મંગળુભાઈ વાળા ને ભાવનગર, અમરેલીના દીપકભાઈ બગડાને ભાવનગર,જૂનાગઢના હિંમતભાઈ જાદવને પોરબંદર, પોરબંદરના જીવાભાઈ કડછાને જુનાગઢ, મોરબીના ભીમસિંહ જાડેજા ને ગાંધીધામ ભુજના મંગાભાઈ ભરવાડને અમદાવાદ ભુજના રાકેશ કુમાર કટારાને જામનગર જૂનાગઢના પિયુષચંદ્ર જોશીને અમરેલી મોરબીના ચંદ્રકાંત રામાનુજીની ભુજ અને ગીર સોમનાથના હસુભાઈ કટારા ને જુનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે

જ્યારે અમદાવાદના રણુભા સોલંકીને અમરેલી, બનાસકાંઠાના કરનાભાઈ કાગને ભુજ, રણજીતસિંહ સોલંકી ને ભુજ, અમદાવાદના દેહાભાઈ ડાંગર ને રાજકોટ શહેર, પાટણના અશોકભાઈ સોલંકી ને ગાંધીધામ,ભચાઉના દેવશીભાઈ મકવાણા ને દ્વારકા, બેડીના ભગીરથસિંહ જાડેજાને જુનાગઢ અને  વિરમગામના મહિપતસિંહ સરવૈયા  મોરબી ખાતે નિમણૂક આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.