Abtak Media Google News

ભારેખમ પગાર અને મસ મોટું બજેટ છતાં

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું મસ મોટું બજેટ અને શિક્ષકોનો ભારેખમ પગાર છતાં શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતાં બાળકોના શિક્ષણનું સ્તર નીચું જઈ રહ્યું છે. હાલમાં કરેલા ગુણોત્સવમાં સમિતિના ૩૫૯૬૪ જેટલા વિદ્યાર્થીઓ વાંચન-લેખન તથા ગણિતમાં નબળા હોવાનું બહાર આવ્યું છે.

આવી ગંભીર ક્ષતિ બહાર આવતાં સરકારે મિશન વિદ્યા હેઠળ આવા વિદ્યાર્થીઓને એક કલાક વધારાનું શિક્ષણ આપવાનો નિર્ણય કરાયો છે. આજથી ૩૧ ઓગષ્ટ સુધી આ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા ધો. ૬થી ૮ના શિક્ષકોએ ફરજ્યાત કામગીરી કરવી પડશે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સહિત રાજ્યની તમામ શિક્ષણ સમિતિમાં ગુણોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓના શિક્ષણ અંગે જે આંકડા આવ્યા છે તે ચોંકાવનારા છે. ચોંકાવનારા આ આંકડા જોઈને રાજ્ય સરકારે નબળા વિદ્યાર્થીઓને હોશિયાર બનાવવા માટે પ્રયાસ શરૃ કરી દીધા છે.

૨૩ જુલાઈથી ૩૧ ઓગષ્ટ સુધી મુલ્યાંકનામાં નબળા સાબિત થયેલા વિદ્યાર્થીઓને વધારાનું શિક્ષણ અપાશે. સુરતમાં ધો. ૬થી ૮માં વાંચનમાં નબળા ૯૨૦૬, લેખનમાં ૧૩૦૨૨ અને ગણિતમાં ૧૩૭૫૬ વિદ્યાર્થી નબળા છે.

આવા બનળા વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થી જેવા બનાવવા માટે સરકારે મિશન વિદ્યા અભિયાન શરૃ ક્રર્યું છે. જેમાં આવતીકાલથી ૩૧ ઓગષ્ટ સુધી વિદ્યાર્થીઓને શાળા સમય કરતાં વધુ એક કલાક શિક્ષણ આપવાનું રહેશે.

ધો. ૬થી ૮ના નબળા વિદ્યાર્થીઓને ધો. ૬થી ૮ના શિક્ષકો દ્વારા અક્ષરજ્ઞાન આપવામાં આવશે. ત્યાર બાદ પંદર પંદર દિવસે આ વિદ્યાર્થીઓનું મુલ્યાંકન પણ થશે. ૩૧ ઓગષ્ટ પછી થર્ડપાર્ટી દ્વારા ફરી ઈન્સપેક્શન કરવામાં આવશે.

સરકારના આ અભિયાન માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એક કલાક વધારાનો ભરવાનો હોવાથી ગણગણાંટ સંબળાઈ રહ્યો છે કે, વિદ્યાર્થીઓની આ સ્થિતિ માટે શિક્ષકો પણ જવાબદાર હોવાથી તેમણે વધારાની કામગીરી કરવી  પડશે.

સવારની પાળીમાં શૈક્ષણિક કર્યા પુરૃ થાય પછીને એક કલાક જ્યારે બપોરની પાળીમાં શૈક્ષણિક કામગીરી શરૃ થાય તે પહેલાનો એક કલાક શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભણાવવા પડશે. ૩૧ ઓગસ્ટ સુધી ચાલનારા મિશન વિદ્યા હેઠળ કેટલા વિદ્યાર્થીઓના શિક્ષણનું સ્તર ઉંચું આવશે તે તો થર્ઢ પાર્ટી  ઈન્સ્પેક્શન પછી જ ખબર પડશે.

આગામી દિવસોમાં યોજનામાં 1થી 5 ધોરણ પણ આવરી લેવાશે

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ધો. ૬, ૭ અને ૮ના ૩૫૯૬૪  વિદ્યાર્થીઓ વાંચન, લેખન અને ગણિતમાં તદ્દન કાચા છે તેમને મિશન વિદ્યા હેઠળ એક કલાક વધારાનું શિક્ષણ આપવામાં આવશે.

આ અંગે સમિતિ અધ્યક્ષ હસમુખ પટેલ કહે છે, આ બાળકોને વધારાનું શિક્ષણ આપીને અન્ય વિદ્યાર્થીઓ સાથે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ વિદ્યાર્થીઓનો પાયો નબળો હોવાથી પાયો સુધારવા માટે આગામી દિવસોમાં ધો. ૧થી ૫માં પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, આવતીકાલ સોમવારે તો ધો. ૬થી ૮ના વિદ્યાર્થી અને શિક્ષકો માટે જ મિશન વિદ્યા હેઠળ કામગીરી કરવાની રહેશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.