Abtak Media Google News

જોરાવરનગર  મકાનમાંથી પુરવઠા વિભાગ અને પોલીસ દ્વારા 1280 લીટર બાયો ડીઝલનો જથ્થો  સીઝ કર્યો: 10 લાખથી વધુનો મુદ્દામાં જપ્ત  કર્યો

સુરેન્દ્રનગર શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં બાયોડિઝલનો બેફામ રીતે વેચાણ થઈ રહ્યું છે ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા બાયોડીઝલ વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે હાલની પરિસ્થિતિ મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવો દિન-પ્રતિદિન વધતા જઈ રહ્યા છે

ત્યારે ડીઝલના વૈકલ્પિક પદાર્થ તરીકે ઉપયોગમાં આવતું બાયોડીઝલ ઉપર સરકાર દ્વારા વેચાણ અંગે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા તથા જિલ્લા પોલીસ સતત સતર્ક રહી અને બાયોડીઝલ વેચનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર ક્રોઝવે રોડ ઉપર રાત્રી દરમિયાન સુરેન્દ્રનગર પુરવઠા વિભાગને મળેલી ખાનગી બાતમીના આધારે સુરેન્દ્રનગર પુરવઠા વિભાગના મુખ્ય અધિકારી મામલતદાર નાયબ મામલતદાર અને જોરાવર નગર પોલીસને સાથે રાખી અને બાયોડીઝલ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે 1280 લીટર બાયો ડીઝલ જપ્ત કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે

Screenshot 3 13

જ્યારે ખાનગી રીતે મળતી વિગત અનુસાર છેલ્લા અનેક વર્ષોથી આ મકાનમાં બાયોડીઝલ નું વેચાણ કરવામાં આવી રહ્યું હતું સરકાર દ્વારા ગેરકાયદેસર બાયો ડીઝલ વેચાણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે છતાં પણ મકાનમાં છૂપી રીતે બાયોડિઝલનો કાળો વેપલો કરવામાં આવતી હોવાની બાતમી સુરેન્દ્રનગર પુરવઠા અધિકારીને મળી હતી જેને લઇને તાત્કાલિકપણે રાત્રી દરમિયાન જ જોરાવર નગર ખાતે આવેલા મકાનમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ચેકીંગ કામગીરી દરમ્યાન સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે મકાન આવેલું છે તેમાંથી બાયોડીઝલ ભરેલા પીપ મળી આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં  ગેરકાયદેસર બાયોડીઝલનો બેફામ વેચાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં હજુપણ બાયોડિઝલનો બેફામ રીતે વેચાણ થઇ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે જેને લઇને વેચાણ કરતાઓની પૂરતી વિગત સુરેન્દ્રનગર તંત્રને આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે કારણકે બાયોડીઝલ છે વાહનો ના એન્જિન ને નુકશાન પહોંચાડી રહ્યું છે એટલું જ નહીં પરંતુ વાતાવરણમાં પણ વધુ પ્રદુષણ ફેલાવી રહ્યું છે તેને લઈને સરકાર દ્વારા ગેરકાયદેસર બાયોડીઝલ વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જે લોકો હજુ પણ બાયોડિઝલનો વેચાણ કરી રહ્યા છે.

તેવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે જેને લઇને સુરેન્દ્રનગર તંત્ર દ્વારા જે લોકો બાયોડીઝલ નું વેચાણ કરી રહ્યા છે તેવા લોકો ની વિગત આપી અને ધ્યાન દોરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.