Abtak Media Google News

લખતર તાલુકાના નાના અંકેવાડીયા ગામમાં પ્રેમ લગ્ન મામલે થયેલા ઝઘડામાં એકની લોથ ઢળી હોવાની ઘટના પોલીસમાં નોંધાઈ છે. ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે માર મારતા આધેડનું મોત થયું હતું.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લખતર તાલુકાના નાના અંકેવાડીયા ગામમાં રહેતા રઘુભાઈ હરિભાઈ સોલંકી નામના 55 વર્ષના આધેડે ફરિયાદમાં નોંધાવ્યા મુજબ તેમની પુત્રી હેતલ ઘણાદ ગામના દેવજી દાના વાધેલા સાથે ભાગીને લગ્ન કર્યા હતા.

જે બાબતે દેવજી સાથે બોલાચાલી થયા બાદ દેવજી, તેના પિતા દાના અને દેવજી રાઠોડ સાહિતનાઓએ આવીને ઝઘડો કર્યો હતો. જેમાં વચ્ચે પડેલા હમીરભાઈ પર ત્રણેય શખ્સોએ લોખંડના પાઇપ વડે છાતી પર હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા હમીરભાઈએ દમ તોડતા ઘટના હત્યામાં પરિણમી હતી. પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.