Abtak Media Google News
  • મૃતકની પત્ની સાથે આડાસંબંધમાં આડખીલીરૂપ થતા પ્રેમીએ ઢીમઢાળી દીધાની કબુલાત

ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામે નર્મદા કેનાલમાંથી બે દિવસ પૂર્વે બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવકના મૃતદેહને ફેંકી દેવાના ગુનાનો પોલીસે ગણતરીના  કલાકોમાં ભેદ ઉકેલી જેસડા ગામે ખેત મજુરી કરતા મૃતકની  પત્નીના  પ્રેમીની ધરપકડ કરી  ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

વીગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામ પાસે તારીખ 6 મેના રોજ વહેલી સવારે કેનાલમાં એક અજાણ્યા યુવકની કોથળામાં પુરેલી લાશ તરતી હાલતમાં મળી હોવાની વિગતો સાથે જ ધ્રાંગધ્રા સહીત જિલ્લા એલ.સી.બી અને એસ.ઓ.જી. પોલીસ સમગ્ર ઘટના મામલે ઝીણવટભરી તપાસમાં હતી. ત્યારે અજાણ્યા 40 વર્ષીય પુરુષ બાબતમાં સોશિયલ મીડિયામાં ફોટો વાઇરલ કરવા સાથે આજુબાજુનાં ગામોમાં જઈને પૂછપરછ કરતા મૃતક યુવાન જેસડા ગામમાં ખેત મજૂરી કરતા મહાદેવભાઈ ઠાકોર હોવાની વિગતો મળ્યા બાદ પોલીસ ફૂલ એક્શન મોડમાં જોવા મળી હતી.

જેમાં વાડીની જમીનના માલિક બળદેવભાઈ ભરવાડની લાંબી પુછપરછ કરતા આરોપીએ ભાંગી પડી ગુનો કબૂલ્યો હતો. જેમાં આડા સબંધનું પાપ છાપરે ચઢી પોકારે એમ પોતાની પત્ની સાથે જમીન માલીકના આડા સંબંધો મજૂર તેમજ માલિક વચ્ચે રોજના ઝઘડાઓનું કારણ બન્યા હતા. જેમાં 4 તારીખે થયેલા ઝગડામાં આરોપીએ મહાદેવભાઈને માથાના ભાગે તિક્ષ્ણ ઘા મારી હત્યા નીપજાવી હતી ત્યારબાદ લાશના પગ બાંધી કોથળામાં પુરીને કેનાલમાં નાખી દીધી હતી.પોલીસ દ્વારા માત્ર 48 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. જેમાં ધ્રાંગધ્રાના જેસડા ગામના બળદેવભાઈ ગમારાએ હત્યા કરી હોવાનું ખુલ્યું હતુ. આ સમગ્ર ઘટના મામલે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આમાં અન્ય સંડોવણી બાબતે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે મૃતક દસાડા તાલુકાના છત્રોટ ગામના રહેવાસી છે. નાનાભાઈ સુરત હીરા ઘસે છે. અને મૃતકની ઓળખાણ નાનાભાઈએ જ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.