Abtak Media Google News

નદીમાં છોડી દેવાતા પાણીના વેડફાટનો કચવાટ

બોટાદ રાજકોટ જામનગર મોરબી ભાવનગર સુધી   ધોળીધજા ડેમ માંથી પાણી પહોંચાડવા માં આવી રહ્યું છે.ત્યારે આ ધોળીધજા ડેમ એક જ સપ્તાહ માં બીજી વખત ઓવરફ્લો થયો છે.અને હજારો લીટર પાણી નો વેડફાટ સર્જાયો છે.ત્યારે ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતા હજારો લીટર પાણી બિન ઉપયોગી રીતે ભોગાવો નદી માં છોડી દેવા માં આવ્યું છે.અને જેનો વેડફાટ થયો છે.

Advertisement

તંત્ર ની ઘોર બેદરકારી ના પગલે ઉનાળા ના પ્રારંભિક સમય ગાળા માં જ પાણી નો વેડફાટ થયો છે ત્યારે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લા માં મુળી ચોટીલા સાયલા ધાંગધ્રા પંથક માં પીવા ના પાણી માટે લોકો ને વલખા મારવા પડે છે 2 કિમિ દૂર સુધી પીવા નું પાણી ભરવા જવું પડે છે અને ખેડૂતો ને સિંચાઈ માટે પણ પાણી નથી મળતું ત્યારે બીજી તરફ તંત્ર ની ઘોર બેદરકારી થી ધોળીધજા ડેમ વારંવાર છલકાઈ અને ઓવરફ્લો થાય છે અને હજારો લીટર પાણી નો વેડફાટ પણ સર્જાઈ છે.ત્યારે આ મામલે આયોજન માં ખામી હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે.ત્યારે હાલ ડેમ ઓવરફ્લો થતા મુખ્ય 3 ક્રોજવે પણ પાણી માં ગરકાવ બન્યા છે.અને આ ક્રોજવે પણ તાત્કાલિક બંધ કરવા માં આવ્યા છે.

સુરેન્દ્રનગર-વઢવાણનાં શહેરીજનોને પીવાનું પાણી પુરૂ પાડતો અને સૌરાષ્ટ્રનાં શહેરોને પાણી પહોંચાડતો સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ નવ દિવસમાં બીજી વાર ભર ઉનાળે ઓવરફલો થતાં લોકોમાં આનંદ સાથે આશ્ચર્ય ફેલાયું હતું ડેમ ઓવરફલો થવાથી ભોગાવો નદીનાં કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા.

ઢાંકી પંમ્પીંગ સ્ટેશનથી સૌરાષ્ટ્રનાં શહેરો સુધી જતી સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલનાં પાણીનો સ્ટોક વધી જતા આ પાણી છલકાઈને આસપાસનાં ખેતરોમાં ઘુસી ન જાય અને ખેતીને નુકશાન ન થાય તે માટે તકેદારીનાં ભાગરૂપે એસ.બી.એસ. (સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાંથી) માંથી વધી ગયેલું પાણી ધોળીધજા ડેમમાં છોડવામાં આવતા ધોળીધજા ડેમ ઓવરફલો થયો હતો. ધોળીધજા ડેમને દરવાજા નથી અને તે ઓવરફલો થાય ત્યારે સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી ભોગાવો નદીમાં પાણી આવે છે.

સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર અને જોરાવરનગર શહેરી વિસ્તાર આ ભોગાવો નદીના બન્ને તરફ હોઈ આ શહેરોને જોડતા કોઝવે અને બેઠા પુલ આવેલા છે. ડેમ ઓવરફલો થતા ભોગાવો નદીમાં પાણી આવતા જીલ્લા પંચાયત પાસે આવેલા કોઝવે સહીત અન્ય કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહનચાલકો અટવાયા હતા અને પરેશાન થયા હતા. બીજી તરફ ભરઉનાળે નવ દિવસમાં બીજી વાર ડેમ ઓવરફલો થતા લોકોમાં આશ્ચર્ય અને આનંદની લાગણી છવાઈ હતી. ગઈ તા. 5 માર્ચના રોજ પણ કેમ ઓવરફલો થયો હતો. અત્રે નોંધનીય છે કે, ડેમ ઓવરફલો થવાથી ભોગાવો નદીમાં જે પાણી વહ્યું જાય છે. તે એક પ્રકારનો પાણીનો વેડફાટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.