Abtak Media Google News

તા.૧૦ થી ૧૪ સુધી યોજાનાર સેમિનારમાં યોગાચાર્ય યોગદર્શનદાસજીસ્વામી તથા યોગ સ્વ‚પદાસજી સ્વામી માર્ગદર્શન આપશે

યોગ વડે તંદુરસ્ત શરીર અને તનાવમુકત પ્રફુલ્લિત મન કરવા માટે સ્વામીનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા નિ:શુલ્ક સહજાનંદ યોગા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વામિનારાયણ ગુરુકુલ ઢેબર રોડ ખાતે દરરોજ સવારે ૭ થી ૮ વાગ્યા સુધી યોગાચાર્ય યોગદર્શનદાસજી સ્વામી તથા યોગસ્વ‚પદાસજી સ્વામી વિવિધ પ્રકારના યોગ વિશે માર્ગદર્શન આપશે. તા.૧૦ થી ૧૪ મે સુધી ચાલનારા નિ:શુલ્ક સહજાનંદ યોગા સેમિનારમાં મહિલા અને પુરુષો બન્ને લાભ લઈ શકશે.

આ તકે સ્વામીનારાયણ ગુરુકુલમાં પૂજય ગુ‚વર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી યોગ શિબિરની સફળતા માટે આર્શીવાદ પાઠવ્યા છે.

નિ:શુલ્ક યોગ શિબિર અંગે વધુ માહિતી માટે મો.નં.૯૮૨૫૨ ૧૧૧૬૮ તથા (૦૨૮૧) ૨૩૭૭૭૦૧/૦૨ નંબર ઉપર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.