Abtak Media Google News

2 વર્ષથી ઉપરના તમામ બાળકોને જાહેર જગ્યાઓ પર તથા ઘરની બહારના વ્યકિતની હાજરીમાં માસ્ક ફરજીયાત પહેરાવવું, બાળકોને પ્રોપર હેન્ડ વોશીંગ ટેકનિક શીખવવી જરૂરી

હાલ વિશ્વમાં કોવિડ-19 નો બીજો વેવ ચાલી રહ્યો છે. આ વખતે વાઈરસ અગાઉ કરતાં વધુ ઈન્ફેકટીવ છે અને બાળકોમાં પણ કોવિડ-19નાં પુષ્કળ દર્દી જોવા મળી રહ્યા છે. આ ચેપ બાળકોમાં ફેલાતો અટકાવવા માટે બાળકોને રૂટીન પ્રિવેન્ટીવ મીઝર્સ શીખવાડવા ખુબજ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી ભીડભાડ વાળી જગ્યાઓ(જેમકે પ્રસંગો, જાહેર ખાણીપીણીની જગ્યાઓ, વગેરે)એ જવાનું ટાળવું. જો ફરજીયાત જવું પડે તો સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવતાં શીખવવું.

2 વર્ષથી ઉપરનાં તમામ બાળકોને જાહેર જગ્યાઓ પર તથા ઘરની બહારનશ વ્યક્તિ ની હાજરીમાં માસ્ક ફરજીયાત પહેરાવવું. રૂટીન ફીઝીકલ એક્ટીવીટી બાળકોનાં શારીરિક અને માનસીક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ જો આડોશ-પાડોશમાં કોઈને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો હોય તો સાવચેતી રાખવી.

જો ઘરમાં કોઈને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો હોય તો તેણે તરત જ સેલ્ફ આઇસોલેટ થવું અને ચેકઅપ કરાવવું જેથી બાળકને ચેપ ન લાગે. બાળકને પ્રોપર હેન્ડવોશીંગ ટેકનિક શીખવવી. હાથ વારંવાર સાફ કરાવવા અને હેન્ડ સેનીટાઇઝરનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવવું (હાથની બધી જ સપાટીઓ પર સેનીટાઇઝર લગાવવું અને સેનીટાઇઝર સુકાય નહીં ત્યાં સુધી બન્ને હાથ ઘસવા). જો બાળક 6 વર્ષથી નાનું હોય તો સેનીટાઇઝરનો ઉપયોગ વડીલોની  દેખરેખ હેઠળ જ કરાવવો તેમ જાણીતા બાળરોગ  નિષ્ણાંત ડો. નીરવ કરમટાએ જણાવેલછે.

બાળકોમાં ચેપ લાગ્યેથી સરેરાશ 5 થી 6 દિવસની અંદર કોવિડ-19નાં લક્ષણો દેખાવા શરૂ થાય છે જે કોઈ પણ સાધારણ સીઝનલ ઈન્ફેક્શન જોવા જ હોય છે. તાવ આવવો, માથું દુખવું, નબળાઈ લાગવી, વગેરે એ સૌથી કોમન લક્ષણો છે જે સરેરાશ 3 થી 5 દિવસ ચાલે છે. આની સાથે-સાથે ગળુ દૂખવું, શરદી-ઉધરસ, પેટમાં દૂખાવો, ઝાડા-ઉલ્ટી, વગેરે લક્ષણો પણ જોવા મળી રહ્યા છે. આથી આવા કોઈ પણ લક્ષણો જણાય તો તરત જ આપનાં બાળકને પીડીયાટ્રીશ્યન પાસે ચેકઅપ માટે લઈ જવું. ચેકઅપ માટે જતી વખતે અગાઉથી કોલ કરી ડોક્ટરનો અલગથી સમય માંગીને જવું જેથી ચેપને અન્ય દર્દીઓને ફેલાતો અટકાવી શકાય. મોટાભાગનાં બાળકોમાં માંદગીની તીવ્રતા સાધારણ હોય છે અને રીકવર થતાં 8 થી 10 દિવસનો સમય લાગે છે. આ સમય દરમ્યાન બાળકને પુષ્કળ પ્રવાહી આપવા અને સાત્વિક અને આરોગ્યપ્રદ ખોરાક આપવો, જેથી શરીરની રોગપ્રતિકાર શક્તિ જળવાઈ રહે. તાજા ફળ અને જ્યુસ આપવા. ડોકટરની સલાહ અનુસાર દવાઓ આપવી. બાળકનું બ્લડ ઓક્સિજન લેવલ  રેગ્યુલર મોનીટર કરવું. સમયસર લીધેલી સારવાર કોમ્પ્લીકેશન્સથી બચવામાં મદદરૂપ થાય છે. છતાં પણ જો બાળકને તાવ ન ઉતરે, ખૂબ જ નબળાઈ આવે, ખોરાક ન લઈ શકે, શ્વાસમાં તકલીફ પડતી જણાય અથવા બ્લડ ઓક્સિજન લેવલ 95% થી નીચે જતું જણાય તો દાખલ થયું જોઈએ. તેમ ડો. નીરવ કરમટાએ જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.