Abtak Media Google News

૨૦૦૦ ગ્રામ પંચાયતોમાં ર૦ સેવાઓ બનશે સરળ: ૮મીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ડિજિટલ સેવા સેતુનો શુભારંભ

હાલ ૩૨૯૬૧ કિ.મીટર અન્ડર ગ્રાઉન્ડ ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક દ્વારા ર૩ જિલ્લાની ૭૬૯ર ગ્રામ પંચાયતોને આવરી લેવાઈ

રોજ-બરોજની સેવાઓ, પ્રમાણપત્રો માટે તાલુકા-જિલ્લામથકે જવું નહીં પડે-ગ્રામ પંચાયતમાં જ નજીવી ફીથી મળશે ઘરઆંગણે સુવિધા

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ રાજ્યના છેવાડાના અંતરિયાળ ગામોમાં વસતા માનવી, ગરીબ, વંચિત લોકોને વધુ સુવિધાસભર જીવન આપવા જ્યાં માનવી ત્યાં સુવિધાનો મંત્ર સાકાર કરવાનો અનોખો સેવાયજ્ઞ ગ્રામીણ વિસ્તારોમાં ડિઝીટલ યુગના ક્રાંતિકારી મંડાણથી શરૂ કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના દૂર-દરાજના ગ્રામીણ વિસ્તારોમાં સરકારના વિવિધ વિભાગોની જનહિતલક્ષી સેવાઓ ગ્રામ્ય સ્તરેથી ગ્રામ પંચાયતમાં જ મળી રહે તે માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ડિઝીટલ સેવા સેતુનો અભિનવ પ્રયોગ રાજ્યમાં શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ હવે ગ્રામીણ નાગરિકોને રોજ-બરોજની સેવાઓ કે સર્ટિફિકેટ, દાખલાઓ માટે તાલુકા-જિલ્લા મથકે ધક્કા ન ખાવા પડે, સમય અને આવવા-જવાના વાહન ભાડાના ખર્ચનો બચાવ થાય તેમજ ખોટો લઇ ન જાય સાચો રહિ ન જાય તેવા ભાવ સાથે પ્રાથમિક તબક્કે વિવિધ ર૦ જેટલી સેવાઓ આ ડિઝીટલ સેવાસેતુમાં આવરી લઇ બે હજાર ગ્રામ પંચાયતમાં આગામી ૮ ઓકટોબરથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ડિસેમ્બર-ર૦ર૦ સુધીમાં વધુ ૮ હજાર ગ્રામ પંચાયતોને આ ડિઝીટલ સેવાસેતુમાં આવરી લેવાનો નિર્ધાર છે.  વિજયભાઇ રૂપાણીએ રાજ્યશાસનનું દાયિત્વ સંભાળ્યુ  ત્યારથી જ તેઓ કોમનમેન સામાન્ય માનવી તરીકે નાગરિકો, લોકો-પ્રજાજનોને સરકારની સેવાઓ સરળતાએ સહજતાએ અને કોઇ જ વિલંબ વિના મળી રહે તે માટે સંકલ્પબદ્ધ રહેલા છે.

મુખ્યમંત્રીએ પ્રજાલક્ષી અભિગમ અને સામાન્ય માનવીને કેન્દ્રમાં રાખીને સુશાસનના ચાર સ્થંભ પારદર્શીતા, નિર્ણાયકતા સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના આધાર ઉપર લોકોને યોજનાકિય લાભો આપવા અને પ્રજાના પ્રશ્નો-સમસ્યાઓનું ઘર આંગણે સુચારૂ નિવારણ લાવવા ર૦૧૬માં ઐતિહાસિક નિર્ણય કરીને સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવેલો.

મુખ્યમંત્રીએ આ સેવા સેતુ કાર્યક્રમમાં ૮ થી ૧૦ ગામોનું કલસ્ટર બનાવી નિશ્ચિત દિવસે અધિકારીઓની ટીમ ત્યાં જાય અને ગ્રામીણ લોકોની રજૂઆતો, પ્રશ્નો, સમસ્યાઓ સૂલઝાવે એટલું જ નહિ, તાલુકા-જિલ્લા જનસેવા કેન્દ્રોની સેવાઓ સ્થળ પર જ આપવાનો પ્રજાહીતકારી ઉદેશ્ય આ સેવાસેતુમાં દર્શાવેલો.

રાજ્યભરમાં આવા ૧ર૮૦૦થી વધુ સેવાસેતુના તબકકાઓ યોજીને ર કરોડ લોકો-નાગરિકોને ઘર આંગણે સેવાઓ મુખ્યમંત્રીના દિશાદર્શનમાં પૂરી પાડવામાં આવેલી છે. આ વન ડે ગર્વનન્સનો ગુજરાત પ્રયોગ સમગ્ર દેશમાં જનહિત સેવા પ્રકલ્પમાં ઉત્કૃષ્ટ અને ઉદાહરણ રૂપ બની રહ્યો છે. મુખ્યમંત્રીએ હવે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડિઝીટલ ઇન્ડીયાના સપનાને સાકાર કરવામાં પણ ગુજરાતને અગ્રીમ-લીડ લેવા સજ્જ કર્યુ છે.

તેમણે રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ડિઝીટલ ટ્રાન્સફોર્મેશનની નવી પહેલ કરતાં ગ્રામ પંચાયતોને ફાઇબર નેટવર્કથી જોડીને ભારત નેટ પ્રોજેકટ અન્વયે ડિઝીટલ સેવા સેતુનો નવતર અભિગમ શરૂ કરીને તાલુકા-જિલ્લા સેવા કેન્દ્રોમાં મળતી સેવાઓ ગ્રામ્યસ્તરે સામાન્ય માનવીને તેની અનુકૂળતાએ અને નજીવી ફી દ્વારા ગ્રામ પંચાયતમાંથી જ મળી રહે તેવી વ્યવસ્થા વિકસાવી છે.

ગુજરાત સમગ્ર દેશમાં આ વ્યવસ્થા વિકસાવી ભારત નેટ ફેઇસ-ર માં દેશભરમાં અગ્રેસર રહ્યું છે. ડિઝીટલ સેવા સેતુમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, રાજ્યના ગામડાંઓમાં ૧૦૦ ખઇઙજના હાઇસ્પીડ ઇન્ટરનેટ સરળતાએ મળી રહે એ માટે ઓપ્ટિકલ ફાયબર નેટવર્કથી જોડાણો આપવામાં આવશે.

અત્યાર સુધીમાં ૩૨૯૬૧ કિ.મીટર અન્ડર ગ્રાઉન્ડ ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક દ્વારા ર૩ જિલ્લાની ૭૬૯ર ગ્રામ પંચાયતોને આવરી લેવાઇ છે. એટલું જ નહિ, દરેક ગ્રામ પંચાયત સ્ટેટ ડેટા સેન્ટર સાથે જોડાયેલી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગામડાને જ મિની સચિવાલય બનાવવાનો નવિન કોન્સેપ્ટ આ ડિઝીટલ સેવાસેતુમાં અપનાવ્યો છે. આ અંતર્ગત ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું, નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનીયર સિટીઝનનો દાખલો, ક્રિમીલીયર સિર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિઝીટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ર૦ રૂપિયાની નજીવી ફીથી મળશે.

મુખ્યમંત્રીએ આ ડિઝીટલ સેવાસેતુનો વ્યાપ વધુ વિસ્તરે તેમજ ગ્રામીણ નાગરિકો લોકોને આવા દાખલાઓ માટે કરવાની થતી એફિડેવિટ-સોગંદનામા માટે તાલુકા કક્ષાએ કે નગરમાં જિલ્લામાં નોટરી પાસે જવું જ ન પડે તેવો પણ ક્રાંતિકારી નિર્ણય કર્યો છે.

તદઅનુસાર, ઘફવિંત અભિં ૧૯૬૯ની કલમ-૩ ની જોગવાઇઓ મુજબ કરવાના સોગંદનામા એફિડેવિટ કરવા માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને સત્તાઓ આપવામાં આવશે. જેથી ગ્રામીણ નાગરિકોને ગામમાંથી જ એફિડેવીટ ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ થઇ શકશે.

વિજયભાઇ રૂપાણીએ ગામડાનો સામાન્ય માનવી પણ પોતાને જરૂરી એવી સેવાઓના સર્ટિફિકેટ પોતાના મોબાઇલ ફોનમાં કોઇપણ સમયે કોઇપણ જગ્યાએ મેળવી શકે અથવા કયાંય આધાર-પૂરાવા તરીકે રજૂ કરી શકે તે માટે ભવિષ્યમાં ફિઝીકલ સાઇનને બદલે ઇ-સાઇન  ઊ જશલક્ષ દ્વારા સેવાઓ મંજૂર કરવાનો પણ અભિગમ અપનાવ્યો છે. આના પરિણામે સેવાઓ મંજૂર થાય એટલે સીધી જ જે-તે વ્યકિતના ડિજી લોકરમાં ઉપલબ્ધ થઇ જશે.

ભવિષ્યમાં આ સમગ્ર સેવાઓને અન્ય વિભાગો સાથે ઇન્ટીગ્રેટ કરીને ડીજી લોકરને વધુ સક્ષમ પ્લેટફોર્મ આ ડિઝીટલ સેવા સેતુ અન્વયે બનાવી શકાશે. આવનારા દિવસોમાં ડિઝીટલ ટેકનોલોજીને એક સક્ષમ પ્લેટફોર્મ બનાવીને ડિઝીટલ સેવા સેતુમાં રાજ્યના તમામ ગામોને તથા બહુધા સેવાઓને આવરી લેવાશે.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના મિનીમમ ગર્વમેન્ટ મેકસીમમ ગર્વનન્સના મંત્રને આના પરિણામે વધુ બળ મળશે તેમજ સરકારી કચેરીઓમાં હ્યુમન ઇન્ટરફેસ ઓછુ થઇ જશે અને કચેરીમાં ગયા વિના જ ઘરેબેઠા સુવિધા સેવા મળવાથી ૧૦૦ ટકા ફેઇસ લેશ અને પેપર લેશ વર્કીંગ સિસ્ટમ ગુજરાતમાં અમલી થશે.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના ટેકનોલોજી આધારિત આ જનહિતકારી પ્રકલ્પ ડિઝીટલ સેવા સેતુથી રાજ્યના ૧૮ હજારથી વધુ ગામોને મોર્ડન વિલેજ સાથે ગ્લોબલ વિલેજ બનાવવાનો માર્ગ મોકળો થશે. આ ડિઝીટલ સેવાસેતુ ગુડ ગર્વનન્સ-સુશાસનની દિશામાં ગુજરાતની એક નવતર પહેલ તરીકે સમગ્ર દેશમાં પ્રસ્થાપિત થશે અને ગુજરાત ફરી એકવાર મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ડિઝીટલ ક્રાંતિ દ્વારા દેશનું પથદર્શક બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.