Abtak Media Google News

પ્રદુષણ અંગે અનેક વિવાદો બાદ તંત્ર દ્વારા આકરૂ પગલું લેવાતા ફેકટરી માલિકોમાં ફફડાટ

પ્રદુષણ મુદ્દે બહું ચર્ચિત બનેલ હડમતાળા જીઆઇડીસીમાં આવેલ પારમેક્સ (માલ્વીન)ફાર્મા.લી.નામે દવા બનાવતી ફેકટરી ને સીલ કરવાં રાજકોટ પ્રાંત અધિકારી એ આદેશ કરતાં જીઆઇડીસી વિસ્તારમાં ચકચાર જાગી છે.ફેકટરીનાં પ્રદુષણ અંગે અનેક વિવાદો બાદ તંત્ર દ્વારા આકરું પગલું લેવાયું છે.બીજી બાજું ફેકટરી માલીક દ્વારા પોતે પ્રોડકટસ બંધ કરી દિધાં નું જણાવી તંત્ર નાં હુકમ સામે ઉચ્ચ કક્ષાએ લડત અપાશે તેવું જણાવાયું હતું

પ્રાપ્ત વિગતો મુજબ હડમતાળા જીઆઇડીસીમાં આવેલ પારમેક્સ (માલ્વીન)ફાર્મા દવા બનાવતી ફેકટરી ને કોટડાસાંગાણી મામલતદાર દ્વારા પંચરોજ કામ કરી સીલ કરવાં પ્રાંત અધિકારી અને સબ ડિવીઝનલ મેજી.ચરણસિંહ ગોહિલે આદેશ કર્યો હતો.આદેશ માં જણાવાયું હતું કે આ ફેકટરી દ્વારા પ્રદુષણ ફેલાવાતું હોય પર્યાવરણ તથાં સમાજ ને નુકશાન કરતું હોય ફેકટરી અન્ય હુકમ ના થાય ત્યાં સુધી બંધ કરવી.

તંત્ર દ્વારા ફેક્ટરી સીલ કરવાં અંગે ફેકટરી માલીક અલ્કેશભાઈ ગોસલીયાએ જણાવ્યું કે અમને રજુઆત ની તક અપાયાં વગર એક પક્ષીય આદેશ કરાયો છે.પ્રદુષિત પાણી જે વાત છે તે વરસાદ નું પાણી છે.જેને ફરતે લીલું ઘાસ ઉગ્યું છે.તો પ્રદુષણ શેનું? આદેશ નાં પગલે તેમણે સ્વૈચ્છિક પ્રોડક્શન બંધ કરી દિધાં નું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે હડમતાળા જીઆઇડીસીમાં દવા બનાવતી ફેકટરીઓ દ્વારા દુષીત પાણી છોડી પશુ પંખી સહીત માનવજીવને હાની પંહોચે તે રીતે પ્રદુષણ ફેલાતું હોવાં અંગે  ભુણાવા નાં આગેવાન વિક્રમસિંહ નોંઘુભા જાડેજા દ્વારા પ્રદુષણ નિયંત્રણ બોડઁ સહીત ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી ઉપવાસ આંદોલન અને આત્મવિલોપન નાં પ્રયાસ સુધી લડત અપાઇ હતી.સામાં પક્ષે વિક્રમસિંહ જાડેજા સામે ખંડણી સહીત ની ફરીયાદો થઇ હતી.આમ પ્રદુષણ નો મુદ્દો સમગ્ર ગોંડલ પંથક અને જીઆઇડીસીમાં ચકચારી બનવાં પામ્યો હતો. પારમેક્સ બાદ અન્ય એક ફેક્ટરી સામે પણ પગલાં તોળાઈ રહયાં નું માહિતગાર વર્તુળો દ્વારા જણાવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.