Abtak Media Google News

ડો.બાબાસાહેબ આંબેડકરના ફોટાને સળગાવી અભદ્ર ટીપ્પણી કરનાર વિરુઘ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ સાથે પડધરી મામલતદારને કોંગ્રેસના અનુ.જાતિ વિભાગ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું કે, અમુક રાજદ્રોહી તત્વો દ્વારા ભારતના સંવિધાના નિર્મતા અને કરોડો લોકોના આસ્થાના પ્રતિક ડો.બાબા સાહેબ આંબેડકરના ફોટાને સળગાવી તેના વિશે અશોભનીય અને હિન કક્ષાની અભદ્ર ટીપ્પણીઓ કરવામાં આવી છે.

જેના કારણે કરોડો લોકોની લાગણી દુભાઈ છે તથા લોકો વચ્ચે વિગ્રહ ફાટી નિકળે તથા દેશની લોકશાહી ઉપર જોખમ ઉભુ થાય તે પ્રમાણેની ગુનાહિત પ્રવૃતિ કરવામાં આવી છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કે કહેવાતા રાષ્ટ્રવાદીઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ રાજદ્રોહી તત્વો વિરુઘ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.